SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ જીવનાં પરિણામ સંકલેશરૂપ રહેતાં હોવાથી બંધ અધિક અને નિર્જરા ઓછી થાય છે. સમીપમુક્તિગામીનાં પરિણામ નિર્મળ હોવાથી બંધ છે અને નિર્જરા અધિક થાય છે. દુરભવ્યને મધ્યમ જાતિનાં પરિણામ હોવાથી બંધ અને નિર્જરા સરખાં હોય છે, તથા જીવન્મુક્ત અવસ્થામાં બંધને અભાવ થઈ માત્ર નિર્જરા જ થાય છે. આ બંધ અને નિર્જરાને ક્રમ જુદા જુદા જીવોની અપેક્ષાએ છે. સંસારમાં સામાન્યપણે કોઈપણ જીવ બંધ અને નિર્જરા વગરના હોતા નથી. સંસારમાં એવો કોઈ જીવ નથી કે જેને માત્ર બંધ જ થાય અને નિર્જરા બિલકુલ પણ ન થાય. ચૌદમે ગુણસ્થાને ફક્ત નિર્જરા જ હોય અને જરા પણ બંધન ન થાય. નિગોદના જીવના સંકલેશ પરિણામના સમયે પણ તેનાં અમુક કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં તેના મેળે સ્વયં ખરી જતાં હોય છે, પણ તે પ્રકારની નિર્જરાના બળથી તે ઉપર નથી આવતો પણ તેના મંદ કષાયથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ રૂ૫ ચારિત્રથી થતી નિર્જરાના બળથી ઉપર આવે છે, તેનાથી ઊલટું મિથ્યા દષ્ટિને શુભભાવના સમયે નિર્જરા કહી છે, પરંતુ ત્યારે તે જ સમયે પણ ઘણું જ કમેને નવીન બંધ પણ થયા જ કરતા હોય છે. મિશ્યાદષ્ટિને નિર્જરા અલ્પ અને બંધ અધિક છે; તેથી આ૫ નિર્જરાની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, “તેને ફક્ત બંધ જ થાય છે એમ કહ્યું. જે નિર્જરા મોક્ષ માર્ગમાં કામ ન આવે તેનું શું પ્રયોજન ? કંઈ નહીં. નિગોદને ઓછામાં ઓછો ક્ષયોપશમવાળે અને તીવ્રથી તીવ્ર કષાયવાળે જે જીવ છે, તેને પણ ક્ષણે ક્ષણે અમુક કર્મોની સ્થિતિ પૂર્ણ થઈ (તેની મેળે સ્વયં) નિર્જરા થતી જ રહેતી હોય છે, પણ તેની કઈ ગણના નથી, મૂલ્ય નથી, કારણ કે તે નિર્જરા પરિણામની વિશુદ્ધિના બળથી નથી થઈ, અર્થાત તે નિર્જરા તેને નિગોદમાંથી ઉપર લાવવામાં કારણ નથી બનતી. શુભ પરિણામના બળથી અજ્ઞાનીને જે નિર્જરા થાય છે, તે જો કે તેને વ્યવહારથી ઊંચે આવવામાં અર્થાત હવે તે પરથી ખસ, સ્વમાં વસ-આટલું બસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy