SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. મોક્ષને ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે કે જીવ જ્યારે પિતાના (૧) જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈ, (૨) પુરુષાર્થ કરે ત્યારે, (૩) કાળલબ્ધિ, (૪) ભવિતવ્ય, અને (૫) કર્મની ઉપશમાદિ અવસ્થા એકી સાથે હોય છે. ૧૬ ૦૬ પ્ર. કાળલબ્ધિ શું છે ? ઉ. તે કઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ છે. ૧૬ ૦૭ પ્ર. જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે ? ઉ. એ માન્યતા મિથ્યા છે કેમ કે તેમ માનનાર જીવે પિતાને જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો. તેથી તે માન્યતાવાળાને એકાંત કાળવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે. ૧૬૦૮ . ત્યારે મેક્ષના ઉપાય માટે શું કરવું ? ઉ. જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરો. જે પુરુષાર્થ કરે છે તેને સર્વ કારણે મળે છે. જીવને કાળલબ્ધિ ભવિતવ્ય, કર્મને ઉપશમાદિક મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવસમુખ પુરુષાર્થ કરે છે, ત્યારે તે કારણે આવી મળે છે. ૧૬૯ પ્ર. જે પુરુષાર્થથી જ ધર્મ થાય છે તે દ્રવ્યલિંગી મુનિઓ મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણે પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ ? ઉ. તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. તપશ્ચરણાદિ વ્યવહાર સાધનથી શાસ્ત્રમાં શુભબંધ કહ્યો છે. વ્યવહારસાધન કરતાં કરતાં નિશ્ચયધર્મ થાય એમ માનવું છે તે એક ભ્રમ છે. (જુઓ પ્ર. ૧૩૮) આજે જો તું દુકૃતમાં દોરાતો હે તે મરણને સ્મર. રાજા હો કે રંક હો ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાના પુગલ થડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ . ભૂમિ માંગનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy