SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃત થતાં દૂર થાય છે, તેમ અનાદિને વિભાવ જ્ઞાન થતાં દૂરથાય છે. જો દેહાધ્યાસ છૂટે તે એ પુરુષાર્થ ધર્મ છે, અને તે ધર્મથી મોક્ષ છે. અજ્ઞાન અંધકાર સમાન છે અને તેમાં જ્ઞાનરૂપી. પ્રકાશ થતાં ક્ષણવારમાં અનાદિને અંધકાર (કર્મો) નાશ પામે છે.. “રાગ દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.” જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.” ૧૪૫૯ પ્ર. શું ઉપર દર્શાવેલ છ પદોને દર્શન કહ્યાં છે ? જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના શાના અર્થે પ્રકાશી છે ? ઉ. શ્રી જ્ઞાની પુરુષેએ સમ્યદર્શનના છ પદને મુખ્ય નિવાસભૂત કહ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે–અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ. જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છે પદની જ્ઞાની પુરુષોએ દેશની પ્રકાશી છે. ૧૪૬૦ પ્ર. વિકાર જે દ્રવ્ય (આત્મા) અને ગુણમાં નથી, તે પછી વિકાર શું કર્મને કારણે થાય છે ? ઉ. ના, વિકાર કર્મના કારણથી નથી થતો, પણ તે આત્માની પર્યાયમાં જ થાય છે પરંતુ વિકાર તે હું નહીં, હું તે જ્ઞાતા-દષ્ટા, એમ સ્વીકાર થવા જોઈએ. “મેં આટલું દાન, તપ આદિ કર્યું અને પુણ્ય બાંધ્યું” અને ખુશી થાય છે, આ પ્રકારે અજ્ઞાનીની રુચિ. વિકાર, કર્મ અને સંગ ઉપર જાય છે તેથી તે સંસારમાં રખડે છે. પરંતુ આત્મા જ્ઞાયક છે, કેમ કે વિકારથી રહિત છે, એવી. સમજણ કરવી, અને સતત કાયમ રાખવી તે અપૂર્વ પુરુષાર્થ છે. આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ વિકારભાવ ભિન્ન છે, અન્ય વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંડકો જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy