SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ઉ. વર્તમાનમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ૮૬ . “સમય”, “પરમાણુ” અને “પ્રદેશને અર્થ શું ? અને તેનું જ્ઞાન કોને હોય ? ઉ. કાળને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણું છે, અને અરૂપી પદાર્થને અથવા આકાશને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પ્રદેશ” છે. પુદ્ગલ પરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેટલા કાળને સમય કહે છે. તેમ છતાં જે કે એક એક પુગલ પરમાણુનું એક સામર્થ્ય છે કે એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે. સામાન્યપણે સંસારી જીને ઉપયોગ અસંખ્યાત સમયવતી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહિ; તે ઉપયોગનું એક સમયવતીપણું કષાયાદિના અભાવે થાય છે અને જ્યાં અત્યંત કષાયને અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન” હોય છે. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશને જેને અનુભવ થાય તેને “કેવળજ્ઞાન” પ્રગટે. ૮૭ પ્ર. છદ્મસ્થ કઈ કઈ વસ્તુઓ જાણ–દેખી શકે નહીં ? ઉ. છદ્મસ્થ (જુઓ પ્રશ્ન ૧૫૯૩) જીવ દશ વસ્તુઓ જાણી-દેખી શકે નહીં. તે દશ વસ્તુઓ નીચે મુજબ છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ (૪) શરીરરહિત છવ(૫) પરમાણુ, (૬) શબ્દ, (૭) ગંધ, (૮) વાયુ, (૯) આ જીન થશે કે નહિં, (૧૦) આ સિદ્ધ થશે કે નહિ. (આ ઉપરાંત એક સમય. કાળને એક વિભાગ.). ૮૮ પ્ર. દિગમ્બર કહે છે કે કેવળજ્ઞાન સતારૂપે નહિ, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. તે ભેદ કયા પ્રકારે કહ્યો છે ? ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy