SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉ. દિગમ્બર સંપ્રદાય એમ કહે છે કે આત્મામાં “ કેવળજ્ઞાન” શક્તિરૂપે રહ્યું છે. શ્વેતામ્બર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. “શક્તિ” શબ્દનો અથ સત્તાથી' વધારે ગૌણ થાય છે. શક્તિરૂપે છે એટલે આવરણથી શકાયુ નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયાગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે. એમ કહેવાય. સત્તામાં ક પ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કડેવાય. સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. “ભગવતી આરાધના” જોશે.” ૮૯ પ્ર. - કેવળજ્ઞાનની શક્તિ” અને “ કેવળજ્ઞાન પ્રગટ થવાનેા ધર્મ” : એ એમાં શું અંતર છે ? ઉ. જે જીવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાને ધર્મ સદૈવ છે. ઉપર્યુક્ત “શક્તિ” અને “ધર્મ” બન્ને ભિન્ન ભિન્ન ચીજો છે, કેવળજ્ઞાનની શક્તિ તા અભવ્ય જીવમાં પણ હેાય છે,. પણ કેવળજ્ઞાન પ્રગટ થવાને ધર્મ તેનામાં નથી. અભવ્ય જીવમાં કેવળજ્ઞાનના શક્તિરૂપ સ્વભાવ છે, પરંતુ તેનામાં કેવળજ્ઞાન પર્યાય કદી પણ પ્રગટ થવાવાળી નથી, એવા પણ તેને એક સ્વભાવ છે. ૯૦ પ્ર. જ્ઞાન અને સંયમ એટલે શું ? ઉ. જ્ઞાન એટલે સમજવુ -સમજણુ અને સંયમ એટલે પાપથી અટક્યું, ત્યાગ અને વૈરાગ્ય. ૯૧ . સયમ કેટલા ? ઉ. સાત : સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિધિ, સૂક્ષ્મસાંપરાય, યથાખ્યાત, દેશસંયમ, અસયમ. (જુએ પ્રશ્ન-૧૦૦૯) ૯૨ . જ્ઞાન એટલે સમજણ કહ્યું પરંતુ તે બાબૃત સ્પષ્ટતાથી સમજાવે, . જીવ અને અવની એાળખાણ એ જ્ઞાન કહેવાય. જડ અને ચૈતન્ય ભિન્ન છે તને જ્ઞાન કહેવું. દેહથી આત્મા ભિન્ન છે તેમ સત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy