SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ યથાતથ્ય જાણવું. આ જીવ શું વસ્તુ છે, શા માટે ભવભ્રમણ કરે છે, એ સંબંધમાં એાળખાણ કે જ્ઞાન, શાસ્ત્ર વાંચન કે શ્રવણથી થઈ શકે છે. જીવ માત્રમાં સામાન્ય સમજણ-બુદ્ધિ છે એટલે સંસાર વ્યવહાર અંગે કમાવું, ખાવું એ બાબતમાં જીવને ઓછાવત્તા પ્રમાણમાં સમજણ હોય છે. કેટલાક વધારે ભણેલા હોય તે વધારે વ્યવહારકુશળ હોય છે. કોઈ વળી શાસ્ત્રનું જ્ઞાન ધરાવી તેમાં માથું મારતા હોય છે. ૯૩ પ્ર. તે શું એ જ્ઞાન નહીં ? - ઉ, એ જ્ઞાન વ્યવહારુ જ્ઞાન અથવા કજ્ઞાન. લેકના કહેવા પ્રમાણે ચાલતું જ્ઞાન પણ તેમાં રહેલી જીવની અવિદ્યા એટલે તે જ્ઞાન અજ્ઞાન છે. પુસ્તક વાંચી ભણી લેવાં, સંસ્કૃત ભણવું, પુસ્તક લખવા કે મુખપાઠ કરવાં તેને જ્ઞાની પુરુષો જ્ઞાન કહેતા નથી. જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. ૯૪ પ્ર. ત્યારે સાચું જ્ઞાન કોને કહેવું ? ઉ. શ્રી વીતરાગ પ્રભુ કહી ગયા તે પ્રમાણે સમજાય તો તે સાચું જ્ઞાન છે. જીવ ખોટી માન્યતાથી હિતને અહિત અને અહિતને હિત સમજે છે. ઈન્દ્રના વિષય-કષાયમાં તેઓ આનંદ માને છે. આ બાબતમાં જીવને સાચી સમજણ આવે તો તે સમ્યફ જ્ઞાન કહેવાય. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” ૯૫ પ્ર. જ્ઞાનનું ફળ શું હોય ? ઉ. જ્ઞાનનું ફળ વિરતિ છે. બીજેથી મનવચનકાયાની પ્રવૃત્તિ રોકાઈ એક આત્મહિતમાં વતે અને આખરે શાંત થાય તેનું નામ વિરતિ છે. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે લીન થવું તેનું નામ વિરતિ છે. જ્ઞાન એને કહીએ કે જેની સાથે અતીન્દ્રિય આનંદને આસ્વાદ આવે. ૯૬ પ્ર. જ્ઞાન ક્યારે પ્રત્યક્ષ ભાસે ? ધમ દેખાડવા માટે નથી – પરંતુ દેખવા માટે છે. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy