SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૧૫૫૪ પ્ર. ધ્યાન માટે આસન કેવું હોવું જોઈએ ? - ઉ, ધ્યાન માટે કાઈ ઘાસનું આસન કે ચટાઈ કે પાટ કે પથ્થર નક્કી કરી લેવું. જો એવું કાંઈ ન મળી શકે તે સ્વચ્છ પવિત્ર ભૂમિ ઉપર પણ ધ્યાન કરી શકાય છે. ૧૫૫૫ પ્ર. ધ્યાન માટે શરીરની સ્થિતિનું આસન (ગાસન) શા માટે અને કેવું હોવું જરૂરી છે ? ઉ. આસન લગાવવાથી શરીર સ્થિર રહે છે. શરીરની સ્થિરતાથી શ્વાસો રહૃવાસ સમપણે ચાલે છે, અને મન નિશ્ચળ રહી શકે છે. ધ્યાન કરવામાં પદ્માસન, અર્ધ પદ્માસન કે કાયોત્સર્ગ એ ત્રણ આસન સુગમ છે અને બહુ ઉપયોગી છે. જે આસનથી ધ્યાન સ્થિર થઈ શકે તે આસનથી બેસી શકાય છે. વાસન, વીરાસન, સુખાસન, કમલાસન વગેરે યોગ્ય આસને કહ્યાં છે. ૧પપ૬ પ્ર. ધ્યાનની વિધિ બતાવો. ઉ. (૧) બહુ સરળ ને સીધી રીત એ છે કે પોતાના શરીરમાં વ્યાપેલ આત્માને શુદ્ધ જળની સમાન નિર્મળતાથી પૂર્ણ વિચાર અને મનને તે જળ સમાન નિર્મળ આત્મામાં મગ્ન રાખવું. આત્માના સ્વભાવને પણ વિચાર કરવો કે આ આત્મા પરમ શુદ્ધ જ્ઞાનાનંદમય છે. (૨) બીજી વિધિ એ છે કે પોતાના આત્માને શરીર પ્રમાણ આકારવાળે સ્ફટિક મણિની મૂર્તિ સમાન નિર્મળ વિચારી તેના દર્શનમાં લય થઈ જવું. જ્યારે મન હડી જાય ત્યારે મંચ્ચાર કરે અને અવારનવાર-વખતોવખત આત્માને સ્વભાવ વિચારતા રહેવું. (૩) ત્રીજી વિધિ એ છે કે પિંડસ્થ ધ્યાન ધરવું. એની પાંચ ધારણાઓને ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના યાન સુધી પહોંચી જવું. નિજ આત્માનું ચિંતન તે પિંડસ્થ સ્થાન છે. ૧૫૫૭ પ્ર. પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણ કહો. મૃગ જેમ રાત્રિમાં ભયે વનથી નગર પ્રત્યે ધસે, હા કષ્ટ ! કળિમાં તેમ મુનિએ વન તજી ગામે વસે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy