SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ ઉ. પાર્થિવી ધારણા, આગ્નેયી ધારણા, મારુતી ધારણા, વારુણી ધારણા, તત્વરૂપવતી ધારણા. ૧૫૫૮ પ્ર. આ ધારણાઓમાં મુખ્યત્વે કયો ભાવ હોય છે ? 9. “હું સર્વ કર્મ મળને કાઢી શુદ્ધ કરું છું” કઈ ધારણામાં તે કર્મ રજને અગ્નિથી બાળી, કેઈમાં પવનથી ઉડાવી તે કઈમાં પાણીથી ધોઈ નાંખે છે. ૧૫૫૯ પ્ર. ઉપર કહેલ યાનવિધિ સિવાયની ધ્યાનની બીજી વિધિઓ હોય તો કહો. ઉ. (૪) પદની દ્વારાએ પદસ્થ ધ્યાન કરવું. એના અનેક ઉપાય છે. જેમાં મુખ્યત્વે નાસાગ્ર ઉપર અને ભ્રમરોના મધ્યભાગે અથવા હૃદયકમળની મધ્યમાં “હ” અથવા “ઝ' પ્રણવ મંત્રને સ્થાપિત કરો. અથવા હૃદય સ્થાનમાં શ્વેત રંગનું આઠ પાંદડીનું કમળ. વિચારવું. મંત્ર વાક્યોમાં સ્થિત પદસ્થ ધ્યાન છે. (૫) રૂપસ્થ ધ્યાનની વિધિ : સમવસરણમાં બિરાજિત તીર્થકર ભગવાનને ધ્યાવવા. વીતરાગમુદ્રા જોઈને વૃત્તિ સ્થિર કરવી. સર્વ ચિદ્રુપનું ચિંતન તે રૂપસ્થ ધ્યાન છે. (૬) રૂપાતીત ધ્યાનની વિધિ : શરીરરહિત, પુરુષાકારે શુદ્ધ સ્વરૂપી સિદ્ધ ભગવાનને વિચારી, પોતે પિતાને તેના સ્વરૂપમાં લીન કરવો. નિરંજનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. નમસ્કાર (ણકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે તે પદસ્થ ધ્યાન કહેવાય છે, શરીરમાં રહેલ પોતાના આત્માના ચિંતવનને પિંડસ્થ ધ્યાન કહે છે, સશરીરી પરમાત્મા અરિહંતદેવનું ધ્યાન તે રૂપસ્થ અને નિરંજન (સિદ્ધભગવાન)નું ધ્યાન તે રૂપાતીત. ધ્યાન છે. ૧૫૬૦ પ્ર. ધ્યાનનું સ્વરૂપ ક્યા ગ્રંથમાંથી વિશેષ જાણવા મળશે ? ઉ. ધ્યાનનું સ્વરૂપ શ્રી જ્ઞાનર્ણવ ગ્રંથના અધ્યાય ૩૭, ૩૮, ૩૯, ૪૦માં સપષ્ટ વર્ણવેલું છે. ૧૫૬૧ પ્ર. જ્યારે ધ્યાન કરવામાં મન ના ચેટે તે શું કરવું ? ઉ. જ્યારે ધ્યાન કરવામાં મન ને ચટે અને ધ્યાનના સમય વિના પણ આત્મમનન કરવું હોય તો નીચે લખેલાં કાર્યો કરી શકાય છેઃ વર્તમાન ઉદય સમભાવે ભગવે તેને જ ભગવાને પુરુષાથ કહ્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy