SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ (૧) આધ્યાત્મિક-વૈરાગ્ય ગ્રંથને એક ચિત્તથી વાંચવા-સાંભળવા. (૨) આધ્યાત્મિક પદેને ગાવાં. (૩) જિનેન્દ્ર ભગવાનની વૈરાગ્યમય સ્તુતિ બોલવી. સ્તોત્ર બલવા, માળા ફેરવવી. (૪) જિનેન્દ્ર ધ્યાનમય પ્રતિમાની સન્મુખ ઊભા રહી તેમના સ્વરૂપને વિચાર કરો અને આપણે આત્મા તેમના જેવા સ્વરૂપને પામે તેમ ધ્યાન કરવું. જેમ ઢોરને કંઈ ખાવાનું જોઈએ જ, તેમ મનનું પણ છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તે તેને સવિચારરૂપ ખોરાક આપ. “મન કહે તેથી ઊલટું વર્તવું; તેને વશ થઈ તણાઈ જવું નહીં.” ૧૫૬૨ ક. આત્માએ પોતાના જ આત્માનું ધ્યાન ધ્યાવવું તે કેવી રીતે ? ઉ. આત્મધ્યાની ધ્યાતા આત્મા પોતાના આત્માને પિતાના આત્મામાં પિતાના આત્માને માટે પિતાના આત્માથી ધ્યાવે છે. જે શરીરાદિ પર પદાર્થોથી આ અવિનાશી આત્માને ભિન જાણતા નથી, અનુ ભવતા નથી તે તીવ્ર તપ તપે છતાં નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૫૬ ૩ પ્ર, મેક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે અને આ કાળે મોક્ષ તો નથી; તે ધ્યાન કરવાનું શું પ્રયોજન છે ? ઉ. એમ નથી, કેમકે આ કાળે પણ પરંપરાએ મોક્ષ છે, ધ્યાન કરનાર સ્વશુદ્ધાત્માની ભાવનાના બળથી સંસારની સ્થિતિ અ૯૫ કરીને સ્વર્ગમાં જાય છે, ત્યાંથી ચ્યવીને, મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીધ્ર મોક્ષે જાય છે. જે ભરત, સગર, રામચંદ્રજી, પાંડ વગેરે મેક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદભેદ રત્નત્રયની ભાવનાથી સંસારની સ્થિતિ ઘટાડીને પછી મોક્ષે ગયા છે. તે જ ભવે બધાને મેક્ષ થાય છે એ નિયમ નથી. રે ! જન્મ તાડતરુથી પડતાં, પ્રાણીરૂપ ફળ જે બધાં; વચમાં ટકે તે કેટલું ? મૃત્યુ રસાતળ પહોંચતાં ? ૩૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy