SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. નરક અને સ્વર્ગ (દેવલોક)ને એક ભવ જ થાય છે. નરકને જીવ મરીને નરકમાં ન ઉપજે. તેમ દેવતા મરીને દેવતાપણે ન ઊપજે, વળી નરકને જીવ મરીને દેવતાપણે ન ઉપજે, અને દેવતા મરીને નારકીપણે ન ઉપજે. કારણ કે વિશેષ શુભ અને વિશેષ અશુભ કર્મો કરવાનું સ્થળ ખાસ કરીને મૃત્યુલેમાં (તિછલકમાં) છે. મનુષ્ય ગતિમાં પણ જે જુગલીઆ મનુષ્ય તરીકે ઉપજે (તે તે ગતિમાં) એક જ ભવ થાય છે, અને કર્મભૂમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઉપજે તે લગોલગ સાત ભવ કર્મભૂમિ મનુષ્યના થાય છે. મિથ્યા દૃષ્ટિ દેવ મરીને એકેન્દ્રિય થાય છે, સમ્યગ્દષ્ટિ નહિ. ૨૫૭ પ્ર. ભવસ્થિતિ” અને “કાયસ્થિતિ” એટલે શું ? ઉ. કઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે, તે “ભવસ્થિતિ; અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે “કાયસ્થિતિ છે. મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણુ જ છે. તેમની કાયસ્થિતિ પણ ભવસ્થિતિની માફક અંતમુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત કાઈ પણ મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે. નિગોદાદિ નિમાં એક ઈન્દ્રિયરૂપે, એક શ્વાસોચ્છવાસમાં (એક શ્વાસ લઈને મૂકીએ તેટલા સમયમાં), જીવ ઉત્કૃષ્ટ અઢાર વાર જન્મ-મરણ કરે. નિગોદ અને એકેન્દ્રિય, પૃથવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવોની કાસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળની છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમા ભાગમાં અસંખ્ય ચૌવીસી વિતી જાય. પુણ્યથી વૈભવ થાય, વૈભવથી અભિમાન થાય, અભિમાનથી બુદ્ધિભ્રમ થાય અને બુદ્ધિભ્રમથી પાપ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy