SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉ. હા, કહ્યું છે, પરંતુ તે તે નિમિત્તના સહચરનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયથી કહ્યું છે. આચાર્ય જયસેનની ટીકામાં તથા પરમાત્મા પ્રકાશમાં વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય છે એમ આવે છે, પરંતુ તે બધું વ્યવહારનું કથન છે. જેને નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મ પ્રગટ થયો છે, તેને બાહ્ય વ્યવહાર (વ્યવહાર રત્નત્રય) કેવો હોય છે તે જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રમાં આવું (ઉપચાર) કથન આવે છે, છતાં પણ પુણ્યભાવ રત્નત્રયનું યથાર્થ સાધન નથી. વાસ્તવમાં તો જેને નિશ્ચયધર્મ પ્રગટ થતા નથી, તેને વ્યવહારધર્મ પણ સાચે હેત નથી. ૯૪૬ પ્ર. શુભરાગથી ધર્મ થ િનથી તેમ શાસ્ત્રમાં કથન આવે છે અને તેથી લોકોને દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને ઉત્સાહ આવતો નથી ? ઉ. શુભરાગથી ધર્મ થતા નથી તે વાત ખરી, પણ એવું ક્યાં કહ્યું છે કે શુભરાગને છોડી અશુભરાગ કરો, તો પછી સ્ત્રી, પુત્ર, લક્ષ્મી આદિ અશુભરાગમાં કેમ રત (રચ્યાપચ્યો રહે છે ? એનાથી ખાત્રી થાય છે કે લેકીને નિમિત્તની પરીક્ષા કરતાં આવડતું નથી. જેને નિમિત્તની પરીક્ષા કરવાનું ભાન નથી તેઓ ઉપાદાનના સ્વરૂપને કેવી રીતે ઓળખી શકે ? ભગવાન અરિહંતદેવ, સતશાસ્ત્ર અને ભાવલિંગી મુનિ આપણું સતસ્વરૂપને સમજવામાં નિમિત્ત છે. ૯૪૭ પ્ર. પ્રથમ અશુભરાગ જાય અને શુભરાગમાં આવે ત્યારબાદ શુદ્ધભાવ થાય એવો ક્રમ છે ને ? ઉ. ના આ ક્રમ જ નથી. વિકારી શુભભાવ કરતાં કરતાં અવિકારી શુદ્ધભાવની પ્રાપ્તિ થાય, એવું ત્રણે તેમાં અને ત્રણ કાળમાં કદી બની શકે નહીં. પહેલા સમ્યફદર્શન પ્રગટ થાય છે, પછી એકદમ શુભરાગ જઈ શકતું નથી, એટલે પહેલાં અશુભરાગ ટળી શુભરાગ આવે છે, આ સાધકના ક્રમની વાત છે. (નહિ કે માર્ગના કમની વાત.) આ જે કાર્ય–કારણપણને સંબંધ હોય તે શુભ ઉપયોગનું કારણ અશુભ ઉપગ ગણાય, કારણ કે અશુભ ઉપયોગ આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy