SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. અનુષ્ઠાન પાંચ પ્રકારનાં છે. ૧. વિષ અનુષ્ઠાનઃ રાજ, ધન, સ્ત્રી, પુત્ર આદિ અહિક ફળની. ઈચ્છાથી ધર્મ કરાય તે. ૨, ગરલ અનુષ્ઠાન : પરકમાં દેવનાં સુખ, ઈન્દ્રાદિની પદવી, વિદ્યાધર, ચક્રવર્તી, વાસુદેવ આદિનાં પદ મળે તેવી ઈચ્છાથી, તપ કરવાં તે. ૩. અનુષ્ઠાનઃ ધર્મની કઈ પણ ક્રિયા કરવામાં આવે તે માત્ર વચનથી બોલી જવાય પણ ચિત્ત બીજે ફરતું રહે તે. ૪. ત હેતુ અનુષ્ઠાનઃ ઉપગપૂર્વક શાંતિથી જે અનુષ્ઠાન કરવામાં આવે તે. પ, અમૃત અનુષ્ઠાનઃ આ અનુષ્ઠાન સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે. તે. સમ્યક્દષ્ટિ ભાગ્યવંત જીવોને જ હોય છે. આ અનુષ્ઠાનમાં, મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક ઉપયેગની સાવધાનીથી જે ધર્મક્રિયા કરવામાં આવે છે તે. ૯૫૯ પ્ર. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં મુખ્ય શું ભેદ છે? ( ઉ. ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા, હું પોતે જ પરમાત્મા છું એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ. ૯ક. પ્ર. ભક્તિથી ધર્મ થાય ? ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ બનેથી મેક્ષા પ્રાપ્ત થાય ? ઉ. પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ; સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે, અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ધર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે, તેનું પરિણામ ધર્મ છે. ભક્તિ આદિ સાધન કહ્યાં, તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધને આત્માને કર્મક્ષય કરવા જ્ઞાન પમાડવા ખપનાં છે. શરૂઆતમાં સમકિત થવામાં ને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતાં કર્મક્ષયને માર્ગ બધા છ માટે વધારે સરખો થતો જાય છે. આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે, જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy