SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭. ચાર સમાવેશ પામે છે. અસત્ય બલવાથી, ચેરી કરવાથી, કુશીલ ભાવથી, પરિગ્રહની તૃષ્ણથી આત્માના ગુણને ઘાત થાય છે. ૧૧૫૧ પ્ર. અહિંસાના કેટલા પ્રકાર છે ? ઉ. અહિંસાના બે પ્રકાર છે. ભાવહિંસા અને દ્રવ્ય હિંસા. જે રાગદ્વેષથી. ક્રોધ, માન, માયા, લોભાદિથી અથવા પ્રમાદભાવથી આત્માના શુદ્ધ શાંત ભાવને ઘાત થાય છે તે ભાવને ભાવહિંસા કહે છે.. પછી જ્યારે ક્રોધવશ કેઈને મારે પીટે છે અથવા હાનિ પહોંચાડે. છે ત્યારે દ્રવ્ય હિંસા થાય છે. ભાવહિંસા દ્રવ્યહિંસાનું કારણ છે. ૧૧પર પ્ર. સંકલ્પી અને આરંભી હિંસા કોને કહે છે ? ઉ, જે પ્રાણાધાત હિંસાને સંક૯૫પૂર્વક કરવામાં આવે છે તે સંકલ્પી, હિંસા છે, જેમ પશુને ધર્મના નામે કાપવાં, શિકાર કરે, માંસાહાર માટે પશુઓ કાપવાં આદિ. આરંભી હિંસા તે છે કે જે ગૃહસ્થીને આવશ્યક સંસારી કાર્યોમાં કરવી પડે છે. ત્યાં હિંસા કરવાનો સંકલ્પ હોતો નથી આરંભી. હિંસાના ત્રણે ભેદ છે. નિશ્ચયનયથી કોઈ જીવ બીન જીવને હણી શકતા નથી, મારી નાખતું નથી; કારણ કે આયુષ્ય કર્મ ફેરવી શકાતું નથી. નિશ્ચયનયથી હિંસા તેને કહે છે કે જે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણને વધ કરે, નાશ કરે. બીજા જીવનાં પરિણામ કલેશિત દુઃખી થાય છે તે તેની હિંસા છે અને આપણે ઉપર ચૂકી પ્રમાદને વશ થયા, તે આપણું આત્માને ઘાત છે. “ઉપયોગ, ધર્મ.” એમ જ્ઞાનીએ કહ્યું છે. તે શુદ્ધ ઉપગ જ્ઞાનીએ જેવો જાણે છે તે મારે આત્મા છે. તેને લક્ષ ચૂકાય છે ત્યાં આપણું આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તે પણ આપણા આત્માને ઘાત થાય છે તે પાપ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવે છે કે રાગની ઉત્પત્તિ તે હિંસા તથા રાગની. અનુત્પત્તિ તે અહિંસા છે. કામ કેાધ મદ લોભની જ્યાં સુધી મનમાં ખાણ, ત્યાં સુધી પંડિત, મુરખે, બન્ને એક સમાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy