SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સાધુ ઘમ ૧૧૪૭ ક. હવે વ્યવહાર સમ્યક્યારિત્ર કેને કહે તે સમજાવે. ઉ. જે મૂળ ચારિત્ર તે ન હોય પરંતુ ચારિત્રના પ્રકાશવામાં સહાયક હોય તેને જ વ્યવહાર ચારિત્ર કહે છે. જ્યાં નિશ્ચય સમ્યફચારિત્રરૂપ સ્વાત્માનુભવ ઉપર લક્ષ છે, એની જ ખેજ છે, અને તેથી તેનાં નિમિત્ત સાધનને સંગ્રહ કરવામાં આવે તેને વ્યવહાર સમ્યફડ્યારિત્ર કહેવાય છે. પણ જે વ્યવહાર ચારિત્ર પાળે પરંતુ તે વડે નિશ્ચય સમચારિત્રને લાભ કે પ્રાપ્તિ ન પામી શકે તે તે વ્યવહાર, ચારિત્ર યથાર્થ કહેવાય નહિ. ૧૧૪૮ પ્ર. વ્યવહાર સચ્ચારિત્ર કેટલા પ્રકારે હોય છે ? પ્ર. વ્યવહાર સમ્યફચારિત્ર બે પ્રકારનું છે. એક અણગાર અથવા સાધુચરિત્ર, બીજુ સાગાર અથવા શ્રાવક ચારિત્ર. ૧૧૪૯ પ્ર. અનગાર કે સાધુ ચારિત્ર કોને કહે છે ? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, એમ તેર. પ્રકારનું વ્યવહાર ચારિત્ર સાધુને ધર્મ કહેવાય છે. તેમાં પાંચ મહાવત મુખ્ય છે. શ્રાવકની નિમ્નભૂમિકામાં જે વાત વ્રતરૂપ હતી તે જ વાત સાધુની ઉન્નત ભૂમિકામાં ચારિત્રરૂપ થઈ જાય છે. શ્રાવક જે વાતને પ્રતિજ્ઞાબદ્ધ થઈ નિશ્ચિત સમય માટે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે સાધુને વિના પ્રયત્ન સહજ સિદ્ધ છે. ૧૧૫૦ પ્ર. સાધુનાં પાંચ મહાવ્રત કહે.. ઉ. અહિંસા, સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, એ પાંચ મહાવ્રત છે. જો કે તે પાંય છે તો પણ એક અહિંસા મહાવ્રતમાં બાકીનાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy