SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ ૧૯ર પ્રચારિત્ર પાળવાથી શું લાભ થાય ? ઉ. નિશ્ચિય ચારિત્રના પ્રભાવથી આત્મામાં સ્થિરતા વધતી જાય છે, ત્યારે અધિક અધિક સહેજ સુખ અનુભવમાં આવતું જાય છે, જ્યારે મન, વચન, કાયાના સયેાગને છેડીને આત્મા આત્મસ્થ થઈ જાય છે, ત્યારે જ સહજ સુખના સ્વાદ પામે છે. વસ્તુતાએ સહજ સુખ આત્મામાં જ છે, આત્મામાં જ રમણ કરવાથી (નિશ્ચય ચારિત્રમાં રહેવાથી) તે પ્રાપ્ત થાય છે. આત્મરમણતાનું મહાત્મ્ય અવણૅનીય છે. વીતરાગી મહાત્માને કાઇ એવા અપૂર્વ પરમાનંદ પ્રગટે છે કે જેની આગળ ત્રણ લેાકનું અચિંત્ય ઐશ્વર્ય પણ તૃણુ સમાન ભાસે છે. ૧૦૯૩ પ્ર. શાસ્ત્રમાં બાર ભાવનાએ કહી છે તે કહેા. ૩. (૧) અનિત્ય : ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, રારીરાદિ સ ક્ષણુભ ગુરુ, નાશવંત છે. (ર) અશરણુ : મરણથી કે તીવ્ર કર્મઉદયથી કાઈ બચાવનાર નથી. (૩) સંસાર : ચારગતિરૂપ સંસાર દુઃખના ભંડાર છે. (૪) એકત્વ : આ જીવ એકલે છે, પેાતાની કરણીના પેાતે જ સ્વામી છે. (૫) અન્યત્વ ઃ આ જીવથી શરીરાદિ સવ પર છે. અન્ય છે. (૬) અશુચિ : આ શરીર અવિત્ર છે. (૭) આસવઃ તે તે ભાવાથી કર્મ આવે છે. (૮) સવર : તે તે ભાવાથી કર્મ રોકાય છે. (૯) નિર્જરા : (જ્ઞાન અને) તપથી કર્મ ખરી જાય છે. (૧૦) લેાક : આ જગત અનાદિ અનંત અકૃત્રિમ છે, છ દ્રવ્યોના સમૂહ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. (૧૧) ખેાધિદુલ ભઃ રત્નત્રયની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (૧૨) ધર્મઃ આત્માના સ્વભાવ ધ છે, એ જ પરમ હિતકારી છે. કાતિક્રયાનુપ્રેક્ષાની ચારસા નવયાસી ગાથાઓમાં સૌથી વધારે સ્થાન રાકવાવાળી લેાકભાવના અને ધર્મભાવના છે. અનિત્યભાવનાથી નિર્જરા ભાવના સુધીની નવ ભાવનાએમાં કુલ ૧૧૪ ગાથાઓ છે જ્યારે કે એકલી લેાકભાવનામાં ૧૬૯ ગાથાએ સમાઈ ગઈ છે. કંઈક કેટલા ચાલ્યા ગયા ખખ્ખર પણ પડતી નથી, કંઇક કેટલા ચાલ્યા જશે નજર પણ પડતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy