SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ લેકભાવનાના સંદર્ભમાં “ક” શબ્દનો અર્થ “આત્મા” પણ કરવામાં આવે છે. જેમાં સંપૂર્ણ લક આલોકિત (પ્રતિબિંબિત થતા હોય એ આત્મા જ ચેતન્ય લેક છે. લેક શબ્દની આ પ્રકારની વ્યાખ્યા પણ કરવામાં આવે છે. ૧૦૯૪ પ્ર. અનિત્યભાવના અને અશરણભાવનામાં મૂળભૂત અંતર શું છે? ઉ. અશરણુ અહસ્તક્ષેપ (હસ્તક્ષેપના નિષેધ)નું સૂચન છે. કોઇ પણ દ્રવ્યના પરિણમનમાં બીજા અન્ય દ્રવ્યને જરા પણ હસ્તક્ષેપ ચાલતું નથી. કોઈ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય પણ તે અન્ય દ્રવ્યના પરિણમનમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. અનિત્યભાવનાનું કેન્દ્રબિંદુ છે “મરના સબકે એક દિન, અપની અપની બાર” અને અશરણભાવના કહે છે કે “મરતે ન બચાવે કેઈ”, આ જ આ બંનેમાં મૂળભૂત અંતર છે. ૧૦૯૫ પ્ર. એકત્વભાવના અને અન્યત્વભાવનામાં વિશેષ ભેદ વિસ્તારથી સમજા. 'એકત્વ અને અન્યત્વભાવનામાં અસ્તિ-નાસ્તિનું અંતર છે. જે વાતનું એકત્વભાવનામાં અતિ તરફ ચિંતન કરવામાં આવે છે, તે જ વાતનું અન્યત્વભાવનામાં નાસ્તિ તરફનું ચિંતન હોય છે. એકત્વ અનુપ્રેક્ષામાં “હું એક છું' ઇત્યાદિ પ્રકારથી વિવિધરૂપ વ્યાખ્યાન છે અને અન્યત્વ અનુપ્રેક્ષામાં “દેહાદિ પદાર્થ મારાથી ભિન્ન છે, મારા નથી” એ પ્રમાણે નિષેધરૂપથી વ્યાખ્યાન છે. એકત્વ (એકલાપણું) આત્માની મજબુરી નથી, સહજ સ્વરૂપ છે. એકત્વ વસ્તુની અખંડતાને સૂચક છે; કણકણની સ્વતંત્ર સત્તાને સૂચક છે. આત્માનું એકલાપણું અભિશાપ નથી, વરદાન છે. પરથી એકત્ર અને મમત્વ તેડવા માટે અન્યત્વનું સતત ચિંતન આવશ્યક છે. પરથી એકત્વ અને મમત્વ તેડવા માટે એક માત્ર ઉપાય પ્રત્યેક વસ્તુની સ્વતંત્ર સત્તાને સમ્યફ (યથાર્થ) ધ જ છે. પ્રત્યેક વસ્તુ સ્વતંત્રરૂપથી પિત પિતાની સત્તામાં તારા ઐશ્વર્યનું તું એટલું ગુમાન ન કર, સિંકદર શાહ જેવાની અહી કબર પણ જડતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy