SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. જળમાં ભૂમિની માફક તથા ભૂમિ ઉપર જળની માફક ગમન કરવાનું–જમીનને ઉન્મજ્જન (ઉપર લાવવી) તેમજ નિમજ્જન (બુડાડવી), કરવાનું સામર્થ્ય તે પ્રાકામ્યઋદ્ધિ છે. ૧૫. રીલેક્સનું પ્રભુપણું પ્રગટ કરવાનું સામર્થ્ય તે ઈશિત્વઋદ્ધિ છે. ૧૬. દેવ, દાનવ, મનુષ્ય વગેરે સર્વ જીવોને વશ કરવાનું સામર્થ્ય તે - વશિત્વઋદ્ધિ છે. ૧૭. પર્વતાદિકની વચ્ચે આકાશની માફક ગમન-આગમન કરવાની શક્તિ-જેમ આકાશમાં ગમન-આગમન કરે છે તેમ પર્વતમાં ગમન-આગમન કરવાનું સામર્થ્ય તે અપ્રતિઘાત ઋદ્ધિ છે. ૧૮. અદશ્ય હોવાનું સામર્થ્ય તે અંતર્ધાન ઋદ્ધિ છે. ૧૯. યુગપત અનેક આકારરૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વ આમ અનેક પ્રકારની વિક્રિયા ઋદ્ધિ છે. આમ અઢાર પ્રકારની બુદ્ધિ-દ્ધિ અને આકાશગામિની ક્રિયા-ઋદ્ધિ, બે પ્રકારની ચારણઋદ્ધિ, આઠ પ્રકારની વિક્રિયાઋદ્ધિ, ત્રણ પ્રકારની બાળઋદ્ધિ, સાત પ્રકારની તપઋદ્ધિ, છ પ્રકારની રસઋદ્ધિ, છ પ્રકારની ઔષધઋદ્ધિ, બે પ્રકારની ક્ષેત્રઋદ્ધિ, ઈત્યાદિ અનેક ઋદ્ધિ શક્તિઓ પ્રગટ થાય છે. | (અહીં અદ્ધિ શબ્દને ઉપયોગ સિદ્ધ અથવા લબ્ધિના અર્થમાં કરવામાં આવ્યો છે.) વાત્સલ્યગુણના ધારકને પણ આમાંની ઘણી શકિતઓ પ્રગટે છે. ૧૪૪ પ્ર. ઋદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિમાં શું ફેર છે ? ઉ. ઋદ્ધિ = વૈભવ, ઐશ્વર્ય, સંપતિ, સામર્થ્ય. સિદ્ધિ અણિમા વગેરે યોગની શકિતઓ. લબ્ધિયોગ વગેરેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શકિતઓ. આમાં ઋદ્ધિ શબ્દ અને એના અર્થ સાથે કોઈ ગૂઢ કે અદ્ભુત રહસ્ય સંકળાયેલું નથીપણ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિઓ શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy