SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય આવૃત્તિનું સંક્ષિપ્ત નિવેદન દ્વિતીય આવૃત્તિ પછીના સ્વાધ્યાય દરમિયાન જે કાંઈ મારા વાંચવામાં આવ્યું તે આ તૃતિય આવૃત્તિમાં સંકલન કરી લેવાયું છે. તેના ફળસ્વરૂપે જુના પ્રશ્નોના વિવિધ ઉત્તર વિસ્તાર પામ્યા છે, લગભગ ૩૬૦ જેટલા નવા પ્રશ્નો ઉમેર્યા છે અને સૌથી મહત્ત્વને વિષય “કમબદ્ધ પર્યાયને ક્રમાંક ૨૪ને નીચે પ્રથમવાર ઉમેરવામાં આવ્યો છે અને ક્રમાંક ૨૪ના અગાઉના પ્રશ્નો ક્રમાંક ના નીચે ફેરવવામાં આવ્યા છે. “કમબદ્ધ પર્યાય” જેનદર્શનને સાર, અર્ક, તત્ત્વ છે, અને મહાભાગ્યથી તે બેસે છે, સમજાય છે અને જીવને તેની શ્રદ્ધા થાય છે. જેનદર્શનમાં ધર્મનું સ્વરૂપ શું છે તે વિષે ઘણું અજ્ઞાન વર્તે છે. ધર્મ એટલે શું ? ધર્મ કેને કહેવાય ? ધમ કરવાથી શું થાય ? ધર્મનાં સાધનો ક્યાં ? ધર્મ એક છે કે અનેક ? આ પ્રશ્નો અને બીજા આવા અનેક પ્રશ્નો જીવને ઉભવે છે પણ તેનું ચગ્ય અને સત્ય સમાધાન બધાને પ્રાપ્ત થવું આ દુષમકાળમાં દુર્લભ છે અને કદાચ પ્રાપ્ત થાય તો તેને સ્વીકાર કરો અને તેના ઉપર શ્રદ્ધા થવી તે અતિ કઠીન છે અને મહાભાગ્યથી જ બને છે. ધર્મ એટલે શું ? આત્માને સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધરે તે ધમ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતી થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. ધર્મ એક જ છે અને તેને માર્ગ પણ એક જ છે. આત્માના સ્વભાવમાં કેવી રીતે રહેવાય ? આત્માને ભુલાવો ન થાય તે આત્માના સ્વભાવમાં રહેવાય. હરતાં ફરતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, જગતાં, સૂતાં એમ દેહની દરેક ક્રિયા કરતાં, રાત્રિ દિવસના દરેક સમયમાં દેહ અને આમાં ભિન્ન ભાસે અને દેહ તે પર અને આત્મા તે પિતાને તેમ જાણે તે આત્માના સ્વભાવમાં રહેવાનું સાધન છે, ધર્મ આરાધનાનું સાધન છે. આત્માને અહોભાવ, આત્માની લગની, આત્મા તરફનું ખેંચાણ, આત્મપ્રાપ્તિની, આત્મઅનુભવની અખંડ ઝંખના એવી તીવ્ર હોય કે આ સંસારમાં બીજુ બધું એંઠવત, તુણવત ભાસે, આત્મા અમૂલ્ય ભાસે, તેનું મહામ્ય સૌથી વધુ લાગે. વિશ્વની સર્વ વસ્તુઓમાંથી તેને રસ ઊડી જાય, બધું ફર્ક લાગે, બસ, ફક્ત આત્માની સંભાળ તેને રીઝવવામાં જ તે મસ્ત રહે શ્રી તીર્થકર દેવ પ્રભુ વર્ધમાન સ્વામી ભગવાન મહાવીર તેમને પ્રથમ અગ્રણી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહેતા હતા કે “સમય ગાયમ મા પમાય”. “હે ગૌતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy