SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ઉ. પાંચ મહાવ્રતાની રક્ષા માટે પાંચ સમિતિ પાળે છે. પ્રમાદરહિત. યત્નાચાર સહિત સમ્યફ પ્રવૃત્તિ, વર્તનને સમિતિ કહે છે. ૧૧૭૧ ઇ. સમિતિના પાંચ પ્રકાર કહા. ઉ. (૧) ઈર્ષા સમિતિ જંતુરહિત પ્રાશુક, પહેલાં બીજા છો જે ભૂમિ ઉપર ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસના પ્રકાશમાં ચાર હાથ આગળ નજર રાખીને ચાલવું. (૨) ભાષા સમિતિઃ શુદ્ધ મિષ્ટ (મધુર) હિતકારી ભાષા બેલવી. (૩) એષણ સમિતિ : જીવનયાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું. સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભજન ભિક્ષાવૃત્તિથી લેવું. બત્રીસ અંતરને અને ચૌદ મળ ટાળી, છેતાળીસ દેશે રહિત શુદ્ધ આહાર લે. આહાર લેતાં સમયે જે આહારમાં નાના વાળને ટૂકડે પણ નીકળી આવે તે મુનિ આહારને ત્યાગ કરી દે છે. આદાનનિક્ષેપણ સમિતિઃ કઈ વસ્તુને દેખીને રાખવી. ઉઠાવવી. (૫) પ્રતિષ્ઠાપન અથવા ઉત્સર્ગ સમિતિ : અનુપયોગી વસ્તુઓ, તથા મળમૂત્ર નિર્જતું જમીન ઉપર જઈને કરવાં. ૧૧૭૨ પ્ર. ગુપ્તિ કોને કહે છે ? ઉ. મન, વચન, કાયા તરફ ઉપગની પ્રવૃત્તિને સારી રીતે આત્મ ભાનપૂર્વક રોકવી અર્થાત્ આત્મામાં જ લીનતા થવી તે ગુપ્તિ છે. ૧૧૭૩ પ્ર. ત્રણ ગુપ્તિના પ્રકાર કહે. ઉ. (૧) મને ગતિ : મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું. (૨) વચનગુપ્તિ ઃ મૌન રહેવું અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું (૩) કાયગૃતિ : એક આસને બેસવું, અથવા ધ્યાન સ્વાધ્યાયમાં કાયાને જોડવી. ૧૧૭૪ પ્ર. ગુતિ અને સમિતિમાં અંતર શું ? જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy