SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શલાકા પુરુષ, ઈશ્વર, અરિહંત કેવળી. ૧૬૫ પ્ર. ઈશ્વર શું છે ? વેદાંતને માન્ય માયિંક ઈશ્વરનું અસ્તિત્વ છે ? ઉ. ના, કેઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઈશ્વર છે એમ નથી. જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે. ઈશ્વર તે આત્માનું પર્યાયિક નામ છે. દરેક જીવ પરમાત્માસ્વરૂપ છે, ૧૬ ૬ પ્ર. શું ઈશ્વરે જગત (વિશ્વ) બનાવ્યું એ ખરું છે ? ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે વિશ્વ એટલે અનંત જીવ, પુદ્ગલ વગેરે એ દ્રવ્ય સ્વયંસિદ્ધ અનાદિ અનંત છે, તેથી તેને કોઈએ બનાવ્યું નથી. “જગતકર્તા ઇશ્વર નથી' એમ ભગવાને (તીર્થ કરે) કેવળજ્ઞાનમાં જઈને કહ્યું છે. ૧૬૭ પ્ર, કઇ જગતની રક્ષા કરે છે ? ઉ. ના, દરેક વસ્તુ પિતાની અનંત શક્તિથી સ્વયં રક્ષિત છે. દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી પોતાની રક્ષા (હયાતી) માટે બીજા કોઈની જરૂર પડતી નથી. ૧૬૮ પ્ર. કઈ જગતને સંહાર (નાશ કરે છે ? ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે કોઈ દ્રવ્યને કદી નાશ થતો નથી. પિત જ સદાય પોતાના નવા નવા પર્યાયે (અવસ્થાઓ) ઉત્પન્ન કરે છે અને પૂર્વ અવસ્થાઓને નાશ કરે છે, અર્થાત નિરંતર બદલે છે. અને દ્રવ્યપણે નિત્ય ટકી રહે છે. ૧૬૯ છે. જગતના કર્તા કોઈને માનવા જતાં કયા કયા પ્રશ્નો ઉપસ્થિત થાય ? ઉ. જગત રચવાની પરમેશ્વરને આવશ્યક્તા શી હતી ? રચ્યું તે સુખદુઃખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy