SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ મૂકવાનું કારણ શું હતું ? રચીને મોત શા માટે મૂક્યું ? એ લીલા બતાવવી કેને હતી? રચ્યું તે ક્યાં કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહોતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કોણ અને ઈચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની આવશ્યકતા શી હતી ? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્ય? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી પિતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી આવશ્યક્તા હતી ? ૧૭૦ પ્ર. કૃષ્ણ અને રામ ઇશ્વરના અવતાર હતા ? ઉ. ના. કેઈ જીવ ઈશ્વરને અંશ કે અવતાર નથી. સર્વ શુદ્ધ આત્માઓ ઈશ્વર સમાન જ છે. ૧૭૧ પ્ર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર કોણ છે ? ઉ. પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે એમ માનવામાં આવતું નથી કેમ કે તેમાં કેટલાંક ઉપદેશાથે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. ૧૭૨ પ્ર. વેદાંત અને હિંદુ ધર્મમાં પુરુષ અને પ્રકૃતિ વિષે બહુ મહિમા છે અને ઘણી ચર્ચા આવે છે, તે તે પુરુષ અને પ્રકૃતિ કોણ છે? તે શું જગતના કર્તા છે ? ઉ. જે ચિતન્યને એક જાતિરૂપથી દેખીએ અને અનંત આત્માઓને એક ચિતન્ય નામથી બોલાવીએ અથવા ઓળખાએ તે બધા આત્માઓ એક છે તેમ કહી શકાય અને તે જ ઈશ્વર, બ્રહ્મા અથવા પુરુષ છે. અને કર્મ અથવા કર્મફલરૂપ વિસ્તાર પ્રકૃતિ છે. આમ પુરુષ અને પ્રકૃતિ મળીને વિશ્વના શ્રેષ્ટા છે તેમ એક અપેક્ષાથી કહી શકાય. ૧૭૩ પ્ર. જૈનમનમાં શલાકાપુરુષ કોને કહે છે? એક તરફથી ચૌદ રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તે પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy