SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ | ઉ (ચાતુર્માસમાં) જૈન ભિક્ષને એક સ્થાને વધારેમાં વધારે ચાર માસ સુધી અને અન્ય ઋતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. અને જે સ્થળે ચોમાસું કરેલું હોય ત્યાં બીજાં બે વર્ષો છોડી અને ત્રીજે વર્ષે રહી શકાય અને તે જ પ્રમાણે એક માસ જે સ્થળે રહ્યા હોય તેનાથી બમણો વખત બીજા ક્ષેત્રમાં ગાળી પછી ત્યાં માસભર રહેવું હોય તે રહી શકાય. શારીરિક વ્યાધિ કે બીજા કઈ તેવા અનિવાર્ય અને મહાન કારણે કદાચ તે પ્રમાણમાં અપવાદ હોઈ શકે છે. એક સ્થળે વધુ રહેવાથી આસક્તિ કિંવા રાગ બંધન થાય અને આસક્તિ કે રાગ બંધન એ સંયમના ઘાતક છે. દિગંબર મત પ્રમાણે અનેક દેશના વ્યવહારને જાણનાર સાધુ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત સુધી રહી શકે છે. તેઓ રહીને પણ વાયુની માફક નિસંગ રહે છે, તથા ભયંકર જ ગલના સિંહની માફક નિર્ભય હોય છે અને બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી. કાંકરા અને પથ્થરવાળી ગરમ અથવા ઠંડી ગમે તેવી ભૂમિ ઉપર એક મુહૂર્ત સુધી એક પડખે હૂંડિયું વાળીને સૂઈ રહે છે ત્યારે તેઓ સંયમ રક્ષા માટે હલનચલને આદિથી રહિત થઈને નિશ્ચલ રહે છે. વ્યન્તર આદિને ત્રાસ હોય તો પણ ભાગી જવાની અથવા પ્રતિકાર કરવાની ઈચ્છા કરતા નથી. તેઓ મરણને ભય હોય તે પણ નિઃશંક રહીને મૃતદેહની માફક અથવા લાકડીની માફક નિશ્ચલ પડી રહે છે. પ્રાણ જવાને સમય આવે તે પણ કદી તેઓ આહાર, ઔષધ આદિની યાચના કરતા નથી. આશીર્વાદ આપવા માટે જ તેમને હાથ લંબાય કે ઊંચો થાય છે, યાચના કરવા માટે નહીં. વેદના, રોગ આવે તે શરીરને જીર્ણ વસ્ત્રની માફક અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે એમ પિતાના શરીર ઉપર પરશરીરની જેમ ઉપેક્ષાભાવ ધારણ કરી કોઈ પણ પ્રકારની ચિકિત્સા ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy