SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ (૪) ગુરુની કૃપાથી કલ્યાણ થશે, મા બાપની ભક્તિ કરવી તે ધર્મ છે, નમવાવાળે પરમેશ્વરને ગમે છે તેમ માની બધાને પગે પડે છે. તે વિનય મિથ્યાત્વી છે. તેના ૩૨ ભેદ છે. આ પ્રમાણે એકાંતપક્ષી પાખંડીઓના કુલ મળીને ૩૬૩ ભેદ થાય છે તેમાંથી કોઈ એકને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ ગણવું, ૧૬૧૩ પ્ર. મનથી બંધ કે મેક્ષ છે, તે ખરું છે? ઉ. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે, મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. તે જે દુરિટછા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં, આપણે એથી દોરાવું નહીં, પણ આપણે તેને દરવું, અને દરવું તે પણ મોક્ષમાર્ગમાં જ. છે ઈન્દ્રિમાં મન અધિષ્ઠાતા છે, અને બાકીની પાંચ ઈન્દ્રિ તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, અને તેની સંકલન કરનાર પણ એક મન જ છે. આત્માને ઉપગ મનન કરે તે મન છે. વળગણું. છે તેથી મન જુદું કહેવાય. ૧૬૧૪ પ્ર. સિદ્ધભગવતિના પંથમાં આવવું હોય તો શું કરવું ? ઉ. ભેદજ્ઞાનને અભ્યાસ કરીને સ્વભાવ-સન્મુખ થવું. ૧૬૧૫ પ્ર. ભેદજ્ઞાન એટલે શું ? તે જ્ઞાનની કસોટી કેમ કરીને થાય ? ઉ. દેહ અને આત્માને ભેદ પાડવો તે “ભેદજ્ઞાન”; જ્ઞાનીને તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રહ્યાં છે. જેમ તેજાબથી સોનું અને કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. જે ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તે આત્મા દેહાકારે પરિણમે એટલે દેહ પિતાને માની લઈ વેદે છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાદની વેદતાં નિર્જરા થાય છે, જીવને અટકવાના રસ્તા અનેક છે, છૂટવાને રસ્તો એક જ છે–વીતરાગભાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy