SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ભાવનામાં બેધિની દુર્લભતા અથત રત્નત્રયની દુર્લભતાનું ચિંતન કરવામાં આવે છે અને ધર્મભાવનામાં ધર્મ અર્થાત રત્નત્રયનું સ્વરૂપ એટલે કે મહિમાનું ચિંતન કરવામાં આવે છે. ૧૦૯૮ પ્ર. જે એમ છે તો પછી બનેનાં નામ એક અર્થવાચી કેમ રાખવામાં આવ્યાં હશે ? ઉ. બન્નેનાં નામ એક અર્થવાચી ક્યાં છે? એક અર્થવાચી તે બેધિ અને ધર્મ શબ્દ છે, પણ ભાવનાઓમાં નામ બધિભાવના અને ધર્મભાવના નથી, બધિદુર્લભભાવના અને ધર્મભાવના છે. બોધિદુર્લભ શબ્દનો અર્થ ધર્મ નહીં, ધર્મની દુર્લભતા છે. આપણે આ ભાવનાઓને ધર્મદુર્લભભાવના અને ધર્મભાવના પણ કહી શકીએ છીએ. ૧૦૯૯ પ્ર. આસવભાવના અને નવતત્વમાં કહેલ આસ્રવતત્વ એક જ છે ને? ઉ. ના, આસ્ટવભાવના અને આસ્ત્રવતત્ત્વ એક જ નથી. તત્વાર્થ. સૂત્રમાં બાર ભાવનાઓનું વર્ણન સંવરતત્વના પ્રકરણમાં આવે છે. આસવભાવના તે સંવરતત્ત્વ છે. અનુપ્રેક્ષાઓને સંવરના કારણમાં ગણવામાં આવે છે. આ ત્રવના નિરોધને સંવર કહે છે. બાર ભાવનાઓ આસ્રવના નિરોધમાં કારણભૂત હોવાથી તેને સંવરતવ નીચે તત્વાર્થસૂત્રમાં વર્ણવેલ છે. ૧૧૦૦ પ્ર. સંવરભાવના અને સંવરતત્ત્વ બનેને એક જ કેમ માની લેવાય ? ઉ. ના, ન માની લેવાય, કારણ કે સંવરભાવના સંવર (તત્વ)ના અનેક કારણોમાંથી માત્ર એક કારણ છે. સંવર (તત્ત્વ)નાં કારણોમાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ ધર્મ, બાર ભાવનાઓ, બાવીસ પરિષહ જય, પાંચ પ્રકારનાં ચારિત્ર બધા આવી જાય છે. સમ્યફ દર્શન–જ્ઞાન પણ સંવરનાં કારણ અથવા સંવરરૂપ જ છે. * ૧૧૦૧ પ્ર. આ બાર ભાવનાઓનું ચિંતવન શા માટે કરવા કહ્યું છે ? તેનું યથાર્થ ચિંતવન કોને હોય? પિસા ઓછા વત્તા મળે તે પ્રારબ્ધ છે, પરંતુ નીતિથી કમાવા તે પુરૂષાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy