SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ ઉ. બાર ભાવનાઓના ચિંતનને એક માત્ર ઉદ્દેશ્ય દષ્ટિને સંયોગ ઉપરથી ખસેડી સ્વભાવની તરફ લઈ જવાનું છે, કારણકે સંગાધિન દષ્ટિ જ સંસારના દુઃખનું મૂળ છે. જ્યાં સુધી જીવની દૃષ્ટિ સંગે ઉપર રહેશે, ત્યાં સુધી મોહ, રાગદ્વેષરૂપ સંગીભાવ ઉત્પન્ન થતા રહેશે. પરદને સંગ છે પણ સાથ નથી. પરદ્રવ્યો સંયોગી છે, પણ સાથી નથી. સંયોગને તદન નિષેધ કરી ઈન્કાર કરે પણ ભૂલ છે અને તેને સાથે માનો તે પણ ભૂલ છે. જો કે સંગ ક્ષણભંગુર છે, અશરણ છે, અસાર છે, પણ છે અવશ્ય, પણ સાથ તો છે જ નહીં. અનિત્યભાવનામાં સંગોની અનિત્યતા, અશરણભાવનામાં સંગોની અશરણુતા, સંસાર ભાવનામાં સંગેની અસારતા સમજાવી છે તે એકત્વભાવનામાં સ્વીકૃતિની સાથે સાથે સાથને નિષેધ-ઈન્કાર કર્યો છે. સાથના નિષેધનું નામ જ એકત્વની સ્વીકૃતિ છે. આ બાર ભાવનાઓ તે ચારિત્ર ગુણના આંશિક શુદ્ધ પર્યાય છે, તેથી તે સમ્યક્દષ્ટિ જીવને જ હોઈ શકે છે. તે ભાવનાઓ ભાવવાથી વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તે ભાવનાઓનું ચિંતવન મુખ્યપણે વીતરાગ દિગમ્બર જૈન મુનિરાજને જ હોય છે, અને ગૌણપણે સમ્યક્દષ્ટિને હોય છે. અંતરંગ પરિણામેની શુદ્ધતાસહિત, આ ભાવનાઓનું ચિંતવન કરવાથી સમતાભાવ પ્રગટ થાય છે. બાર ભાવનાઓના ચિંતનની એક આવશ્યક શરત છે કે તેના ચિંતનથી આનંદની જાગૃતિ થવી જોઈએ. જે એમ ન થાય તો સમજવું જોઈએ કે ક્યાંય કાંઈ ગરબડ જરૂર છે. ૧૧૦૨ પ્ર. પ્રતિક્રમણના કેટલા પ્રકાર છે? ઉ. પ્રતિક્રમણના સાત પ્રકાર છે. (૧) દેવસિક પ્રતિક્રમણ : આખા દિવસની પ્રવૃત્તિને સંધ્યાકાળે ચિંતવીને પાપ પરિણામોને નિંદવા. સર્ષ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટયું છે, દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy