SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ૯૭૦ પ્ર. અરિહંતના નામ લેવાથી, પૂજથી, માનતા માનવાથી અનિષ્ટને નાશ અને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ? ઉ. છવો રેગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે અરિહંતાદિનું નામ લે છે, પૂજા કરે છે, પણ ઈષ્ટ-અનિષ્ટના કારણે તે પૂર્વ કર્મને ઉદય છે. અરિહંત તેને કર્તા નથી. કદાચિત ભક્તિરૂપ શુપયોગ પરિણામેથી પૂર્વપાપનું સંક્રમણુદિ થઈ જાય પણ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે તો તેને પાપને જ અભિપ્રાય રહ્યો અને પૂર્વ પાપનું સંક્રમણદિ ન જ થાય. “પંચપદ વ્યવહારથી, નિશ્ચય આતમ માંહી.” ૯૭૧ . કેટલાક જીવ ભક્તિથી મુક્તિ માને છે તે યોગ્ય છે ? ૩. જેમ અન્ય મતિ ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. અશુભરાગ છેડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે, અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર જાણે છે. પરંતુ તે ત્યાં જ અટકતા નથી. વીતરાગી પ્રતિમાની સામે સમ્યક્રષ્ટિ એકાવતારી ઈન્દ્ર-ઈન્દ્રાણું પણ ભક્તિથી નાચી ઊઠે છે. નંદીશ્વર દ્વીપમાં શાશ્વત જિનબિમ્બ બિરાજમાન છે. ત્યાં કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ અઠવાડિયામાં દેવગણ ભક્તિ કરવા જાય છે. ૮૨ પ્ર. જીનેશ્વરની ભક્તિથી શું લાભ થાય છે ? ઉ. સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ પામે છે. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે, આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. ૯૭૩ પ્ર. ભક્તિ મૌનપણે કરવી કે મોટેથી બેલીને કરવી ? ઉ. આપણું ચિત્ત જે વિક્ષેપવાળું હોય તે મોટેથી બેલવું, જેથી ચિત્ત બહાર ન જાય. જે આપણું ચિત્ત વિક્ષેપ રહિત હોય તે ભક્તિ ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનને તારતમ્યભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy