SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ મૌનપણે કરવી, અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તે માટેથી બોલે તેના કરતાં દશ ગણે લાભ થાય. ૯૭૪ પ્ર. ભક્તિમાર્ગ ક્યારે સિદ્ધ થાય ? ઉ. ઘણુ ઘણુ પ્રકારથી મનન કરતાં જ્ઞાનીને એ દઢ નિશ્ચય થાય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે. જ્ઞાની પુરુષના ચરણ વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થત નથી. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપિત થવું સુલભ થાય છે. ૯૭૫ પ્ર. જિનેશ્વર સિદ્ધની ભક્તિથી આપણને તેઓ મેક્ષ આપે છે એમ માનવું ખરું છે? ઉ. સિદ્ધને સ્તુતિ, નિંદાનું આપણને કોઈ ફળ આપવાનું પ્રયોજન નથી. તેઓ નિરાગી અને નિર્વિકાર છે. જેમ તરવાર હાથમાં લેવાથી, શૌર્ય અને ભાંગથી ન ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતા જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. આત્માના જ્ઞાનલક્ષણની તો એટલી મહિમા છે કે સર્વજ્ઞથી પણ અવર્ણનીય છે, તેને જાણીને (અનુભવીને) જે તેમાં સ્થિર થાય છે, તે પિતાની ભક્તિ કરે છે, તે પરમાર્થ ભક્તિ કરે છે. જે પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને જાણી તેમાં લીન છે, તે જ આત્માની સાચી સ્તુતિ છે. ૯૭૬ પ્ર. “મુખસ્ય પ્રતિમા પૂજા” એને અર્થ છે? ઉ. તેને ટ્રકે અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યને વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે. જેસા પાની મેં પતાસા તેસા તન કા તમાસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy