SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ yos કે જેને પાંચ ઈન્દ્રિ અને મન રૂપી છે બારણાં છે તે દ્વારા એ જીવ બહાર જ જોયા કરે છે. જે એક ક્ષણ માત્ર પણ તે ઈન્દ્રિયાદિથી. ઉપયોગ પાછો વાળી પોતાના અંતરમાં જુએ તે પોતાના આત્માના દર્શન થઈ શકે છે. આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર માતા સમાન. આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન. ઉત્પન થાય છે. ૧૫૪૪ પ્ર. આત્મધ્યાનનાં સાધને બતાવે. ઉ, સત્યજ્ઞાન અને સત્ય વૈરાગ્ય જ આત્મયાનનાં સાધન છે. નિર્મળ. મનરૂપી જલ જ્યારે સ્થિર હોય છે ત્યારે આત્માનું દર્શન તેમાં થાય છે. ૧૫૪૫ પ્ર. આત્મધ્યાન વખતની અવસ્થા વર્ણવો. ઉ. ચિત્ત અને ઇન્દ્રિયની સૌમ્યતા, આરોગ્ય, કરુણાશીલતા, શરીરનું સુગંધિતપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્ત પ્રસન્નતા. અને સૌમ્યવાણું-આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય છે. આત્મભાવના ભાવતાં એકાએક તે આત્મધ્યાન ઉત્પન્ન થાય છે. ધ્યાન ઓછી કે વધારે સમય સુધી તદ્દન એકાગ્ર રહે છે. ધ્યાન, અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હોતું નથી. એ દશા એક એવી છે કે જેનું વર્ણન પણ થઈ ના શકે. એ. દશામાં સહજ સુખને અનુભવ થાય છે. તે દશાની લબ્ધિ તે જ સમ્યગ્દર્શન અને તે દિશામાં રમણતા કરવી તે સમ્યફચારિત્ર.. આત્માનુભવ નયાતીત વિકલ્પાતીત, અનિર્વચનીય, અચિંતનીય, એકપરમાનંદમય અમૃતને સમુદ્ર છે. આ સમુદ્રમાં સ્નાન કરતાં મગ્ન-લીન થવું એ આત્મધ્યાન છે. ૧૫૪૬ પ્ર, આત્મધ્યાન માટે કયાં કયાં નિમિત્ત આવશ્યક છે ? ઉ. ધ્યાન કરનારે સમય, સ્થાન, મનશુદ્ધિ, કાર્યશુદ્ધિ, બેસવાનું આસન. અને યોગાસનને યોગ્ય ઉપાય કરવો જોઈએ તથા તે વિધિનું સેવન કરવું જોઈએ કે જેથી ધ્યાન થઈ શકે. શ્રીરનીરવત જીવશરીર બનને એકમેક રહ્યાં છતાં. છે ભિન્ન, તે જે છેક જુદાં બાહા તેની શી કથા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy