SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ પ્રકારના કષાયના નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે. ૯૦૧ પ્ર. જૈન મુનિએનાં જેવાં જ સન્યાસીએનાં પંચયામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈન મુનિએ અને સન્યાસીએ તેમ જ બૌદ્ધમુનિએ સરખા ખરા કે ? . નહિ. ૯૦૨ પ્ર. કેમ નહી ? ૐ. એએનાં પાંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થૂળ છે. ૯૩ પ્ર. સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ? ઉ. દૃષ્ટાંત દેખાતુ જ છે. પંચયામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે, સુખશય્યામાં પઢે છે; વિવિધ જાતનાં વાહન અને પુષ્પાના ઉપભાગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતા અસંખ્યાતા જંતુના વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણુવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશિલિયાં સાધનાથી બૌદ્ધમુનિએ યુક્ત છે. જૈનમુનિ તા કેવળ એથી વિરક્ત જ છે. ૯૦૪ પ્ર. વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ? ઉ. જૈનને ક'ઈ અસમ જસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદના સંબંધ છે. ૯૫ પ્ર. એ એમાં સત્યરૂપ તમે કાને કહેો છે ? ૩. પવિત્ર જૈનદર્શનને. ૯૦૬ પ્ર. વેદ દર્શીની વૈદને કહે છે તેનું કેમ ? ઉ. એ તા મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પર ંતુ ન્યાયપૂર્વક બંનેનાં મૂળતત્ત્વા આપ જોઈ જજો. ૯૦૭ પ્ર, જૈનદર્શન શુ' નક્કી સૌથી કો′ ધર્મો છે ? આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામ ધારા) પ્રમાણે બધ માક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy