SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ કર્તય કરવું રહી જશે. (વળી ઉપયોગ જો આત્માની બહાર ગયો તો સંવર નિર્જરા અટકી જતાં કર્મને બંધ પડશે) ૭૦૪ પ્ર. બંધના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા ? ઉ. બંધના ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબંધ, (૨) પ્રદેશબંધ, (૩) સ્થિતિબંધ, (૪) અનુભાગબંધ. (૧) પ્રકૃતિબંધ :- કર્મને સ્વભાવ અથવા પરિણામ, (૨) સ્થિતિબંધ :- કાળની મર્યાદા, (૩) અનુભાગબંધ - રસ, (તીવ્ર, મંદ વગેરે) પ્રદેશબંધ :- કર્મ પુદગલના દલ, અથવા કર્મ પરમાણું ઓની સંખ્યા. ૭૦૫ પ્ર. શાનાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય ? ઉ. યોગેથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય. ૭૦૬ પ્ર. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એટલે શું ? ઉ. કઈ કઈ પ્રકૃતિયોગ્ય કર્મ બંધાય છે અથવા કેટલા બંધાય છે તે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કર્મોની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે કર્મોના બંધ ઉપરથી કર્મોની સંખ્યા નક્કી થાય છે. પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધનું પ્રબળપણું હોતું નથી, તે. ખેરવવા ચાહે તે ખરી શકે તેમ છે. ૭૦૭ પ્ર. શાનાથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે ? ઉ. કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે. મોહને લઈને સ્થિતિ તથા અનુભાગ અર્થાત્ રસને બંધ પડે છે, તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશકય છે. આવું મોહને લઈને તેનું પ્રબળપણું છે. ત્રણ પ્રકારના યોગ સમાન હોય છતાં પણ જે કષાય ન હોય, તે ઉપરાજિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ. થતા નથી. ૭૦૮ પ્ર. સ્થિતિબંધ એટલે શું ? ઉ. કેટલા વખત સુધી કર્મ છવની સાથે રહે છે તે મર્યાદાને સ્થિતિ બંધ કહે છે. જે કષાય મંદ હોય છે તે સાત કર્મોની સ્થિતિ ઓછી પડે છે. મારું એ જ સાચું એમ નહીં; પણ સાચું એ મારુ, | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy