SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० ૧૪૯૯ પ્ર. આર્તધ્યાનીનાં કેટલાં લક્ષણ છે ? ઉ. આર્તધ્યાનીનાં ચાર લક્ષણો છે ? (૧) આઝંદ-રૂદન કરે, (૨) શેક-ચિંતા કરે, (૩) અથુપાત કરે, (૪) વલેપાત કરે. ૧૫૦૦ પ્ર.. રૌદ્રધ્યાન કોને કહે છે ? ઉ. દુષ્ટ પરઘાતક સ્વાર્થ સાધક હિંસક પરિણામોની એકાગ્રતા તે રૌદ્ર ધ્યાન પ્રાયઃ નર્કગતિનું કારણ થાય છે. રૌદ્રધ્યાન તારતમ્યતાથી મિથ્યાદષ્ટિથી માંડીને પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. તે પણ જે જીવે સમ્યફત્વ પ્રાપ્ત કર્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે સિવાયના અન્ય સમ્યગ્દષ્ટિ એને તે નરક ગતિનું કારણ થતું નથી. ૧૫૦૧ પ્ર. રૌદ્રધ્યાનના કેટલા ભેદ છે ? ઉ. તેના ચાર ભેદ છે : (૧) હિંસાનંદી-બીજા પ્રાણીઓની હિંસા કરવામાં, કરાવવામાં, અનુમોદવામાં આનંદ માનનાર. (૨) મૃષાનંદી-અસત્ય બોલવામાં, બોલાવવામાં, બોલનારને સારું કહેવામાં, જૂઠાને સાચું સાબિત કરી આનંદ માનનાર. (૩) ચૌર્યાનંદી–પરદવ્ય આદિની ચેરી કરવી, કરાવવી, કરનારને ભલું માનવું ઇત્યાદિ. (૮) પરિગ્રહાનંદી-પરિગ્રહ એકઠે કરકરાવ, અનુમોદ અને પરિગ્રહરક્ષામાં આનંદ માનવો. ૧૫૦૨ પ્ર. ધર્મધ્યાનના કેટલા ભેદ છે ? ઉ. જ્ઞાનસ્વભાવી આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન કરી એકાગ્રતા કરવી ધર્મધ્યાન છે. પોતાના આત્માના આશ્રયથી જે વીતરાગી ધ્યાન પ્રગટ થાય છે, તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે : (૧) આજ્ઞાવિયઃ આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે. એમાં શંકા કરવા જેવું નથી. પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કેઈ ઉપાય હોય તો તે વીતરાગ ધમ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy