SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ઉ. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોને વિશેષ કાર્યને અર્થ પર્યાય કહે છે. ૫૦૦ પ્ર. અર્થ પર્યાયને કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ, સ્વભાવ અર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. ૫૦૧ પ્ર. સ્વભાવ અર્થપર્યાય કોને કહે છે ? ઉ. પરનિમિત્ત સંબંધરહિત જે અર્થપર્યાય થાય છે તેને સ્વભાવ અર્થ પર્યાય કહે છે, જેમ કે જીવને કેવળજ્ઞાન પર્યાય. ૫૨ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે ? ઉ. પરનિમિત્તના સંબંધવાળો જે અર્થપર્યાય થાય તેને વિભાવ અર્થપર્યાય કહે છે, જેમ કે જીવને રાગ દ્વેષ વગેરે. ૫૦૩ પ્ર. દુઃખ તે જીવ દ્રવ્યને કયા ગુણને પર્યાય છે ? ઉ. દુઃખ તે જીવ દ્રવ્યના સુખગુણને આકુળતારૂપ વિભાવ અર્થપર્યાય છે. ૫૦૪ પ્ર. મેક્ષ તે જીવ દ્રવ્યના કયા ગુણને પર્યાય છે ? ઉ, મોક્ષ તે જીવ દ્રવ્યના બધા ગુણને સ્વભાવ અર્થપર્યાય અને પ્રદેશત્વગુણને સ્વભાવવ્યંજનપર્યાય છે. ૫૦૫ પ્ર. સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે ? ઉ. તેમાં વર્ણ બદલાય છે, તે પુદ્ગલ દ્રવ્યના વર્ણ ગુણને વિભાવ- અર્થપર્યાય છે, અને તેમાં જે આકાર બદલાય છે તે તેના પ્રદેશત્વ ગુણને વિભાવવ્યંજનપર્યાય છે. ૫૦૬ પ્ર. અહંત ભગવાનને વિભાવવ્યંજનપર્યાય હોય ? ઉ. હા, કારણ કે તેમને પણ પ્રદેશત્વગુણનું અશુદ્ધ પરિણમન છે; અને - તે ૧૪મા ગુણસ્થાનના અંત સુધી હોય છે. ૫૦૭ પ્ર. અનાદિઅનંત, સાદિઅનંત, અનાદિસત અને સાદિસાંત-એને દાખલા આપી સમજાવે ? ઉ. (૧) અનાદિઅનંત-જેના આદિ તથા અંત ન હોય તેને અનાદિ અનંત કહે છે, દ્રવ્ય અને ગુણ અનાદિઅનંત છે. અભવ્ય છોને સંસારી પર્યાય અનાદિઅનંત છે. (૨) સાદિઅનંત-ક્ષાયિકભા તથા મોક્ષપર્યાય નવા પ્રગટ થાય છે મહાન પુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતાકરણ જેવું એ વધારે પરીક્ષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy