SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ - છે અને છે, ત્યારે વીતરાગ વાણી સત્ય લાગે છે, પણ પાછો મોહ ફરી વળે છે ત્યારે વીતરાગ વાણી સારી લાગતી નથી. ૮૮૪ પ્ર. ચારિત્ર મોહને ઉદય એટલે શું ? ઉ. ચારિત્ર એટલે સદાચાર–ત્યાગ, શાન્તિ, નિવિષયતા. આ ગુણો જીવને ચારિત્ર મોહને ક્ષયોપશમ થતાં છૂરે છે, એટલે ચારિત્ર આવે છે, પાછો એ મહને આવિર્ભાવ થાય એટલે એ ચારિત્ર મૂકવા ઉપાય શોધે, પરંતુ તદન મૂકી દે તે લેકેમાં હાંસી થાય જેથી જેમ. વાંદરે પડે પણ પડતાં પડતાં છેક છેલ્લી ડાળી પકડી પાડે છે તેમ કેટલાક ચારિત્ર લીધેલા આશ્રમ, મઠ, ઉપાશ્રય વગેરે શોધી કાઢે છે અને તે પ્રમાણે માર્ગ ચલાવે છે. ૮૮૫ પ્ર. લાપશમ એટલે શું ? - ઉ. ક્ષપશમ એટલે જીવને ઉદ્યમ-પ્રયત્ન, ચડ-ઉતર, જવું-આવવું, આમ ક્ષણે ક્ષણે થયા કરે છે. ૮૮૬ ક. આ ક્ષયોપશમ–ઉદ્યમ જીવને ક્યાં સુધી રહેશે ? ઉ. પહેલેથી સાતમા છવ ગુણસ્થાનક સુધી છે. ૮૮૭ . સાતમાં ગુણસ્થાનક પછી ઉદ્યમ–ક્ષપશમ નથી કે શું ? ના; પછી આ ઉદ્યમ નથી, આઠમાથી તે બારમા સુધી ચડઉતર, સેળભેળ નથી. માત્ર ઉપશમ દશા કે ક્ષાયક દશા હોય છે, એટલે મોહકર્મની પ્રકૃતિ કેટલાક જીવો તે સ્થાનકમાં કાં તે એકદમ અગ્નિને રાખથી જેમ દબાવે છે ને કેટલાક તદ્દન ક્ષય કરે છે; જેઓ ક્ષય કરે છે તેઓ મેલગામી હોય છે, અને ઉપશમ કરે છે તેઓ પાછા પડે છે, તેમાં કેટલાક છેક નીચે અને કેટલાક વચમાં પણ આવી જાય છે. ૮૮૮ અ. જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે ? ઉ. મોક્ષને હિતરૂપી જાણ, એક મેક્ષને ઉપાય કર એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. ૮૮૯ પ્ર. જે જીવ તત્વ નિર્ણય કરવાને પુરુષાર્થ ન કરે અને વ્યવહાર - ધર્મ કાર્યોમાં પ્રવર્તે છે તેનું શું ફળ આવે ? જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યુનતા શ્રી તીર્થકરે કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy