SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ઉ. તે જીવને મળેલા અવસર ચાયેા જાય અને સંસાર પરિભ્રમણ જ રહે. ૮૯૦ પ્ર. જૈન ધર્મ શું છે ? ઉ. જૈન ધર્મ તે રાગદ્વેષ–અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે. અજ્ઞાન અને અ ંશે રાગ-દ્વેષના અભાવ થતાં જૈનપણાની શરૂઆત થાય છે અને જેટલે જેટલે અંશે રાગદ્વેષના અભાવ થાય તેટલે તેટલે અંશે જૈનપણું વધતુ જાય છે, અને કેવળ જ્ઞાન થતાં પૂર્ણ જૈનપણુ પ્રગટે છે. પરિણતિમાં રાગથી ભિન્ન થઈ જિનસ્વરૂપ આત્માના અનુભવ કરે તે જૈન જૈન ધર્મ તે કાઇ સંપ્રદાય નથી, તે તા વસ્તુસ્વભાવ, આત્મ ધમ છે. ૮૯૧ પ્ર. ઘટ ઘટ અતર જિન ખસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સે, મતવાલા સમઝે ન કાંઇ. ઉપરના પદમાં જિન અને જૈનના અર્થ શું ? ઉ. જિનપણું અને જૈનપણું અર્થાત્ પૂર્ણ પણું અથવા પૂર્ણતા અને સાધકપણું (પર્યાયમાં અપૂર્ણતા) બન્ને અંદર ઘટમાં એટલે આત્મામાં વસે છે. પણ જેને સ્વચ્છન્દ મતિ અથવા સ્વયંના મતરૂપ દારૂ પીધા છે તે જિન અને જિનસ્વરૂપ આત્માને સમજતા નથી. અંદર ધટમાં જ જે જિનસ્વરૂપ આત્મા છે તે સ્વભાવથી જ્ઞાન, આનંદના સામર્થ્યથી ભરેલા છે, તેના આશ્રય લેતાં પર્યાયમાં જૈન ધર્મ, વીતરાગ દશા પ્રગટ થાય છે. ૮૯૨ પ્રે. અનેકાન્ત કાને કહે છે ? ઉ. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી આસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનુ એકી સાથે પ્રકાશિત થવુ તેને અનેકાન્ત કહે છે. ૮૯૩ પ્ર. અનેકાત અથવા સ્યાદવાદની શુ જરૂર પડે છે ? ૩. પદાર્થીમાં અનંત ધર્મ (લક્ષણુ) છે અને તે બધા ધર્મ એક સાથે એક જ સમયે હોય છે. કાઇ આગળ-પાછળ હાતા નથી; પર ંતુ વચનથી તેા એક વખત એક જ ધર્મ કહી શકાય છે. બધા એક આત્મપિરણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધ” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy