SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૧૦૨ પ્ર. ત્યારે શુ ભૂલને ભૂલ સમજવી તે જ્ઞાન છે? ઉ. હા, એ જ વસ્તુને વસ્તુરૂપે સમજવી એટલે કે ન્યાયને ન્યાય, અન્યાયને અન્યાય, હિતને હિત, સત્યને સત્ય સમજે તે જ સમ્યકજ્ઞાન છે. (જુએ પ્રશ્ન ૧૧૨ અને ૧૧૫) ૧૦૩ પ્ર. ત્યારે કહેા પહેલું જ્ઞાન કે સંયમ ? ઉ. પ્રથમ જ્ઞાન છે અને પછી સંયમ (ચારિત્ર) હોય છે. જ્ઞાન વિના જીવ ચારિત્ર કેવી રીતે એળખે ? આસક્તિના ત્યાગ પહેલાં અને વ્રતાદિના લીધા પહેલાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરવા; કારણ કે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વગર વિષયાસક્તિ ઘટતી નથી અને વ્રતાદિ સ ંભવે નહીં તેમ તત્ત્વાસારમાં કહ્યું છે. પ્રત્યાખ્યાન ચારિત્ર છે અને ચારિત્ર આત્મભાન વગર સંભવે નહીં. ૧૦૪ . ત્યારે એ ક્રમવાર કે પદ્ધતિસર છે ? ઉ. હા, પહેલા ઉપદેશ સાંભળવા કે જેથી અંતરાગૃતિ થાય. પછી જ્ઞાન, પછી વિશેષ જ્ઞાન, એટલે ઘણી સારી સમજણુ; ત્યાર પછી ત્યાગ—પ્રત્યાખ્યાન અને પછી અનાશ્રવ-તપ અને પછી મેાક્ષ થાય છે. ૧૦૫ પ્ર. આમ છે તા પછી આવી કડાકૂટ કેમ ચાલે છે ? ઉ. જૈન આગમ(શાસ્ત્ર)માં જ્ઞાન, અભ્યાસ અને સંયમ વિષે ઘણી સ્પષ્ટતા ને ખુલાસાએ જણાવ્યા છે, પરંતુ જીવેાને કેટલાકને સમજણ પુરુષાર્થ (ક્ષયાપશમ)માં ભેદ અથવા કેટલાકાને સ્વચ્છંદતા કે વક્રતા હેાય છે તેથી મનુષ્ય ગૂંચવણ ઊભી કરે છે. પુણ્યવાન કે ભદ્રિક જીવા તો સમજી જાય છે અને તે માર્ગે ચાલે છે. ૧૦૬ પ્ર. જ્ઞાન વિના ધારા કે કાઇ ચારિત્ર પાળે કે થાડે પણ ત્યાગ કરે તો શું સુકૃત નથી ? જ્ઞાનકલા જીનકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વરાગી જ્ઞાની મગન વિષય સુખમાંહિ, યહુ વિપરિત સંભવે નાહી” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy