SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ઉ. સંયમ પાળવો કે થોડો પણ ત્યાગ કરવો એ સારું છે, પણ સમજણ, જ્ઞાન વિના એ ત્યાગ બરાબર છે કે નહિ તેની શું સમજણ પડે ? ધારો કે કોઈ મનુષ્યને એક ગામથી બીજે ગામ જવું છે પણ ચાલવા વખતે અંધકાર કે રાત્રિ હોય તો એ કેવી રીતે ધાર્યા ગામે પહોંચી શકે છે ચાલવામાં પ્રકાશ, ઉદ્યોતની જરૂર છે તેમ જ પ્રથમ જ્ઞાનની સંયમ પાળવામાં આવશ્યકતા છે. ૧૦૭ ક. ત્યારે ક્રિયા વંધ્યા નિષ્ફળ છે કે શું ? ઉ. ખરેખર કરણ નિષ્ફળ તો નથી પણ સમજણ વગરની ક્રિયા પુણ્યને બંધ આપે છે અને સમજણ પછી કરેલી કરણ નિર્જરામાં પરિણમી મોક્ષ માર્ગનું ઈષ્ટફળ આપે છે. ૧૦૮ પ્ર. અજ્ઞાનનું લક્ષણ કોને કહે છે ? ઉ. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ છે; એટલે જીવ ને કાયા જુદાં છે એ જે જ્ઞાનગ તે જ્ઞાની પુરુષને અબાધ જ રહે છે. ૧૦૯ પ્ર. અજ્ઞાનવાદી કોને કહેવાય ? ઉ. “ક્રિયા કરવી નહિ, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું” એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણ કરતા નથી અને પાપના કારણે સેવતાં અટકતા નથી. આ પ્રકારના છાએ કાંઈ કરવું જ નહિ, અને મોટી મોટી વાત કરવી એટલું જ છે. આ જીવને અજ્ઞાનવાદી” તરીકે મૂકી શકાય. ૧૧૦ પ્ર. વિભેગજ્ઞાન એટલે શું ? ઉ. મિથ્યાત્વ સહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે વિર્ભાગજ્ઞાન. ૧૧૧ પ્ર. સામાના મનની વાત જાણી લે તેવી શક્તિ હોય તો ? ઉ. એ કાંઈ આશ્ચર્યની વાત નથી; એવું જાણપણું (વિર્ભાગજ્ઞાન) અજ્ઞાનીને પણ હોય છે; મોક્ષ માર્ગમાં તેની કિંમત નથી. એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહી વધારવા પ્રયત્ન પુરા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy