SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્ર. નિર્ગથ પરિભાષામાં જ્ઞાનને અર્થ શું અને અજ્ઞાનને અર્થ શું છે? ઉ. “અજ્ઞાન” શબ્દને સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ પણ નિગ્રંથ પરિભાષામાં તે મિથ્યાત્વ સહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. જે જ્ઞાન સમતિ સહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે, અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને “અજ્ઞાન” કહ્યું છે, પણ વસ્તુતા એ બને જ્ઞાન છે અને તે જીવનું રૂપ છે માટે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું. મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન” અને સમ્યકજ્ઞાન તે “જ્ઞાન”. માત્ર જાણવું તે જ જ્ઞાન નથી. સમ્યકત્વ સહિત જાણવું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ મેઢે હોય પરંતુ સમ્યકદર્શન ન હોય તે તે અજ્ઞાન છે. જ્ઞાનાવરણીયકર્મ” અને “અજ્ઞાન” એક નથી. “જ્ઞાનાવરણીયકર્મ” જ્ઞાનને આવરણરૂપ છે, અને “અજ્ઞાન” જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે. જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેને મેહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા ચોગ્ય છે, અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. ૧૧૧૩ પ્ર. વિદ્યા, કવિતા, આદિમાં નિષ્ણાત થવાને આશય રાખવો યોગ્ય છે? ઉ. કવિતા કવિતાથે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્દભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય તે જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટશે નહિ, વિવેક આવ્યો નહીં; કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા એગ્ય નથી. જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો; એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનંત ભવનું સાટું વળી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy