SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ દેવસ્થાન રહી ભાગની ઇચ્છા કરે છે તે વખતે પહેલા, બીન દેવલાકમાં રહેલી તેમને ભાગયેાગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના વિકારી મનનું અવલે કન કરીને જ તૃપ્ત થઈ જાય છે. ટૂંકમાં, નવમાથી ખારમા સુધીના ચાર સ્વર્ગાના દેવાની વૈયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. સારાંશ એ છે કે બીજા સ્વર્ગ સુધી જ દેવીએની ઉત્પત્તિ છે, એની ઉપર નથી. દેવીએ (પહેલા અથવા ખીજા સ્વર્ગ માંથી) આઠમા સ્વર્ગ સુધી જઈ શકે છે, આગળ નહિ. નવમાથી બારમા સ્વર્ગના દેવેની કામસુખ તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઇ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવા શાંત અને કામલાલસારહિત હાય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાંય તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે. ૩૦૫ પ્ર. દેવાના શરીરનું પ્રમાણ કેટલું હોય છે ? ઉ. એ અનુક્રમે પહેલા-ખીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા—ચેાથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગ માં પાંચ હાથનું; સાતમા આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનુ; નવ ત્રૈવેયકમાં અે હાથનુ અને અનુત્તર વિમાનમાં એક હાથનુ હોય છે. ૩૦૬ પ્ર. દેવનું શરીર કેવું હોય છે ? ઉ.દેવનું શરીર મનુષ્યના જેવા આકારવાળું સાત કુધાતુ (પ, લાહી, વીર્ય, મળ, ચરબી, માંસ અને હાડકાં વગેરે) થી રહિત સુંદર શરીર હોય છે. તેએ અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાણામ્ય, શિત્વ અને શિત્વ-એ આઠ સિદ્ધિ (ઐશ્વર્ય) વાળા હોય છે. ૩૦૭ પ્ર. દેવાનું આયુષ્ય કેટલું હેાય છે ? સુખની સહેલી તે માત્ર એક ઉદાસીનતા (સમસ ભાવ) જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy