SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉ. ભવનપતિ દેવનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમમાં થોડુંક ઓછું છે. વૈમાનિક દેવનું ઉપર ચઢતા દેવકના દેવાનું અનુક્રમે જઘન્ય ૧ પલ્યોપમથી માંડી ૨૧ સાગરોપમ સુધી અને ઉત્કૃષ્ટ ૨ સાગરોપમથી માંડી ૨૨ સાગરેપમનું આયુષ્ય હોય છે. દેવીઓનું આયુષ્ય દેવે કરતાં અધિક હોય છે. પણ ઈંદ્રાણીનું આયુષ્ય ઈંદ્ર કરતાં ઘણું અપ હોય છે. નવા યિકમાં ઉપર ચઢતાં અનુક્રમે જઘન્ય ૨૨ સાગરોપમથી ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમથી ૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે. અનુત્તર વિમાનના પહેલા ચાર વિમાનના દેવોનું જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે અને છેલ્લા સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવનું જઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. પાંચે અનુત્તર વિમાનના દેવો નિયમથી સમ્યદૃષ્ટિ હોય છે, ચાર અનુત્તર વિમાનના દેવે સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થ સિદ્ધિના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવ બીજા બધા દેવો કરતાં અધિક સુખી છે. નવ દૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સઘળા દેવ સમાન સિદ્ધિવાળા છે, નાના મોટા કેઈ નથી તેથી તેઓ “અમેન્દ્ર” કહેવાય છે. ૩૦૮ પ્ર. દેવને ઉચ્છવાસ હોય છે ? ઉ. હા; જેમ જેમ દેવોની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે. પહેલે દેવલેકે જઘન્ય પ્રત્યેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે પક્ષે (પખવાડિયે) અને એક પલ્યોપમના આયુષ્યવાળા દેવોને ઉછુવાસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષ્યવાળા દેવામાં જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને એક એક ઉછુવાસ તેટકેટલા પખવાડિયે થાય છે એમ ઉપર દેવલોકમાં સમય વધતો જતાં. બારમા દેવલ કે જઘન્ય એકવીસ પક્ષે અને ઉત્કૃષ્ટ બાવીસ પક્ષે અને સર્વાર્થ સિદ્ધ દેવલોકમાં જઘન્ય અને વીતરાગ માગ તે છે કે જેમાં આદિ, મધ્ય અને અંતમાં એક આત્માને જ લક્ષ છે અને લેકઅલકને ઈશ્વર એ શુદ્ધ આત્મા જ ગાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy