SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ ૧૪૨૨ પ્ર. જે અભવ્યજીવમાં પરમાત્મા શક્તિરૂપે પણ રહે તે અભવ્યત્વ કેવી રીતે કહેવાય ? ઉ. અભવ્યજીવમાં પરમાત્મા શક્તિની વ્યક્તતા કેવળ જ્ઞાનાદિરૂપે નહિ થાય તેથી તેનામાં અભવ્યત્વ છે, અને પરમાત્માશક્તિ તે શુદ્ધનયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બન્નેમાં સમાન છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિરૂપે પણ કેવળજ્ઞાન ન હોય તે તેને કેવળજ્ઞાનાવરણ કર્મ સિદ્ધ થતું નથી. ૧૪૨૩ પ્ર. બાહિરાત્મા કોને કહે છે ? ઉ. બાહ્ય શરીર અને ઈન્દ્રિયો વડે ઓળખાતો અનુભવાતો આત્મા બહિરાત્મા છે. શરીરને આત્મબુદ્ધિએ, પોતાના માનનાર તે અંધરૂપ એટલે પાપમુક્ત એવો બહિરાત્મા છે. બહિરાત્માને મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે. ૧૪૨૪ પ્ર. અંતરાત્માની ઓળખાણ શું છે? ઉ. શરીરાદિક પરને પિતાથી ભિન્ન માનનાર, આત્મના અનુભવરસને આસ્વાદ લેનાર આત્મજ્ઞાની પરભાવના સાક્ષી માત્ર રહે છે પણ કર્તા થતા નથી તે અંતરાત્મા છે. આત્મામાં ઉભવતા સંક૯પવિકલ્પોથી મન દ્વારા પ્રગટ થતા આત્મા અંતરાત્મા છે. અંતરાત્મા ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી હોય છે. ૧૪૨૫ પ્ર. પરમાત્માનું લક્ષણ શું છે? ઉ. જે જ્ઞાન આનંદથી પૂર્ણ પવિત્ર છે, સર્વ કર્મની ઉપાધિથી મુક્ત છે, અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યાદિ અતીન્દ્રિય આત્મિક ગુણના સમૂહરૂપ રત્નોનું નિવાસસ્થાનરૂપ છે, તે પરમાત્મા છે. કર્મકલંકથી વિમુક્ત અને અનનતજ્ઞાનાદિ ગુણથી યુક્ત આત્મા પરમાત્મા છે અને એને જ દેવ કહેવામાં આવેલ છે. ૧૪ર૬ પ્ર. પરમાત્મા કેટલા સ્વરૂપે હોય છે ?' ઉ. પરમાત્મા સકલ અને વિકલ એમ બે સ્વરૂપે છે. અરિહંત દેવ છે ર્યું બંદર મદિરા પિયા, વિંછુ ડંકીત ગતિ, ભૂત લ કૌતુક કરે, કયા ઉત્પાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy