SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ૧૨૨૧ પ્ર. લેચ કરવો શા માટે કહ્યું છે? ઉ. શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મેહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; અરીસો લેવાનું મન થાય, તેમાં મેટું જોવાનું મન થાય અને ઉપરાંત તેનાં સાધને માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે. ૧૨૨૨ પ્ર. વ્યાખ્યાન કરતી વખતે મુનિએ કેવા ભાવ રાખવા જોઈએ ? ઉ. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એ ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી આત્માથે કરે. ૧૨૨૩ પ્ર. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ કરવાની સખત આજ્ઞા કેમ કરી હશે ? ઉ. તેનું કારણ એ છે કે તે ઉપયોગશન્ય રહ્યો. જે એટલે બધે બજે ન મૂક્યો હોત, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ઈ બેસત. જ્ઞાનીએ આ આકરો માગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે, આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે બ્રાન્તિવાળે છે. ૧૨૨૪ પ્ર. કૂ દાવ, દાનશાળા ખોલવી, અન્નદાન, જળદાન આપવું ઇત્યાદિ કાર્યોમાં ગૃહસ્થ સાધુને પૂછે કે તેમ કરવામાં પુણ્ય છે કે, નહિ તે સાધુ શું ઉત્તર આપે ? ઉ. અન્નદાન કે જળદાન (ઇત્યાદિ દાન) આપવામાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે. જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે. જિન સે હી હે આત્મા, અન્ય હાઈસ કમ, કમ કરે છે જિન વચન, તત્વજ્ઞાન કે મમ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy