SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સંસ્તરે પક્રમણ દેખ્યા વિના, વાળીને સાફ કર્યા વિના મળમૂત્રદિ કરવાં. તેવી જ રીતે બેદરકારીથી વસ્તુ ઉઠાવવી અથવા ચટાઈ આદિ પાથરવી. (૪) અનાદર : ઉપવાસમાં આદરભાવ ન રાખવો. (૫) ઋત્યનુપસ્થાનઃ ઉપવાસને દિવસે ધર્મ ક્રિયાને ભૂલી જવી. ૧૦૬૮ પ્ર. ભોગપભોગપરિમાણ વ્રતના પાંચ અતિચાર બતાવે. ઉ. જે કોઈ શ્રાવક કઈ દિવસે અચિત્તને બિલકુલ ત્યાગ કરે અથવા અમુક ત્યાગ કરે તેની અપેક્ષાએ આ પાંચ અતિચાર છે. (૧) સચિત્ત: ત્યાગેલી સચિત્ત વસ્તુને ભૂલથી ખાઈ લેવી. (૨) સચિત્ત સંબંધઃ ત્યાગેલી સચિત્ત વસ્તુની સાથે મળેલી વસ્તુને ખાઈ લેવી. (૩) સચિત્ત સંમિશ્રઃ ત્યાગેલી સચિત્ત ચીજને અચિત્તમાં મેળવીને ખાવી. (૪) અભિષવઃ કામોદ્દીપક પૌષ્ટિક રસ ખા. (૫) કાચે રહેલ, દાઝી ગયેલ અને અપચે થાય એ દુઃ૫ક આહારઃ થડે પકાવેલ અથવા વધારે પકાવેલ અથવા ન પચવા લાયક આહાર કરે. ૧૦૬૯ પ્ર. અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર કહે. ઉ. સાધુને આહાર દેતાં આ અતિચાર થાય છે: (૧) સચિત્ત નિક્ષેપઃ સચિત્ત ઉપર રાખીને કાંઈ દાન દેવું. (૨) સચિત્ત અપિધાન : સચિત્તથી ઢાંકેલી વસ્તુ દાનમાં આપવી. (૩) પરવ્યપદેશ: પિતે દાન ન દેતાં બીજાને દાન દેવાની આજ્ઞા કરવી. (૪) માત્સર્ય: બીજા દાતાર સાથે ઈર્ષાભાવ રાખીને દાન દેવું. (૫) કાલાતિક્રમ: દાનને કાળ વીતાવી અકાળે દાન દેવું. ૧૦૭૦ પ્ર. સામાયિકમાં ટાળવાને બત્રીસ દોષ કહો. ઉ. દશ મનના દોષ : ૧. અવિવેક ૨. યશની ઇચ્છા ૩. લાભની ઈચ્છા મેટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy