SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૯ અને ત્યારે જ જ્ઞાનની પર્યાયનું ય આત્મસ્વભાવ બનશે અર્થાત દષ્ટિને સ્વભાવ-સન્મુખ થવાને એક માત્ર ઉપાય આ જ છે. ૧૭ર૭ પ્ર. જો એમ વાત છે તો પછી ઉપદેશ શા માટે આપવામાં આવે , છે કે દષ્ટિને આત્મ-સન્મુખ કરે, આત્માને જાણે વગેરે ? ઉ. (દષ્ટિને આત્મ-સન્મુખ કરવાના ઉપદેશમાં ઉપરની વાત ગર્ભિત છે કે કર્તુત્વ ભાવ છૂટી જાય અને ક્રમ નિશ્ચિત વ્યવસ્થાને સંપૂર્ણ અને દઢ નિર્ણય થઇ જાય અને એમ નિર્ણય થતાં દષ્ટિ આપઆપ સ્વંય આત્મા-સન્મુખ થઈ જાય છે. દષ્ટિને આત્મ-સન્મુખ કરવા માટે આ સિવાય બીજું કાંઈ કરવાનું હોતું નથી.) ૧૭૨૮ પ્ર. આ ક્રમબદ્ધ પર્યાયની વાત ભગવાન મહાવીરને વિરોધી ગોશાળાના નિયતિવાદ અથવા ગોમટસારમાં કહેલ નિયતિપાત જેવી લાગે, છે તેનું કેમ ? ઉ. નિયતવાદ અને ક્રમબદ્ધ પર્યાયમાં ઘણું અંતર છે. એકાત નિયતવાદી. તો પુરુષાર્થાદિ અન્ય સમવાની ઉપેક્ષા કરીને એકાન્ત નિયતવાદને આશ્રય લઈને સ્વછન્દતાનું પોષણ કરે છે, જ્યારે ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત તે પુરુષાદિ અન્ય તથ્યોને સાથે લઈને ચાલે છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (નિમિત્ત) અને પુરુષાર્થ...આ પાંચ કારણેમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાન્ત છે,. મિથ્યાત્વ છે અને આ પાંચ સમવાય ભેગાં મળે ત્યારે કાલ્પત્તિ માનવી તે અનેકાન્ત છે, સમ્યફર્વ છે. નિરુદ્યમી પુરુષ મિશ્યા. નિયતિના (કાળના) આશ્રયે પુરૂષાર્થને તિરસ્કાર કરે છે, પણ અનેકાન્તબુદ્ધિ આ સિદ્ધાંતને જાણીને સર્વ બાહ્ય વ્યાપારથી. વિરક્ત થઈ એક જ્ઞાતા-દષ્ટ ભાવમાં સ્થિતિ પામે છે. ગમ્મટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તે સ્વચ્છન્દીને છે. જે જીવ સર્વને માનતો નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછી પણ ક્ય નથી અને થવાનું તે થશે–એમ કહીને માત્ર સ્વછન્દી થાય છે રેષીને રૂડું કહે, બમણે આણે રોષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદોષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy