SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શક્તિની તે સમયની યોગ્યતા પ્રમાણે પિતાથી ગમન કરે છે કે સ્થિર થાય છે. ૪૧૧ પ્ર. દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? ઉ. દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તવનું બનેલું છે. ૪૧૨ પ્ર. તડકાના પ્રકાશમાં જે રજ જેવું દેખાય છે તે શું અણુ છે ? ઉ. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી, પણ અનેક પરમાણુઓને બનેલે સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જેમાં ન જાય. ચક્ષુ ઈન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશી લબ્ધિસંપન્ન યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. ૪૧૩ પ્ર. ધર્મદ્રવ્ય કોને કહે છે ? ઉ. સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્ત હોય તેને ધર્મદ્રવ્ય કહે છે, જેમ ગતિ કરતી માછલીને ગતિ કરવામાં પાણું. ૪૧૪ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે ? ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમતા જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમ મુસાફરને સ્થિર થવા માટે ઝાડને છાંયે. ૪૧૫ પ્ર. આકાશ દ્રવ્ય કોને કહે છે ? ઉ. જે જીવાદિ પાંચે દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તેને આકાશ દ્રવ્ય કહે છે. આકાશ દ્રવ્ય સર્વ વ્યાપક છે, સર્વત્ર છે. ૪૧૬ પ્ર. આકાશના કેટલા ભેદ છે ? ઉ, આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. કાકાશ તથા અલકાકાશ તેના ભેદ છે. ૪૧૭ પ્ર. લેકાકાશ કોને કહે છે ? ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ એ સમસ્ત દ્રવ્યો છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. જે સદાય મૃત્યુનું ચિંતવન કરે છે તે ધર્મની પ્રાપ્તિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy