SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ઉ. પૃથ્વીકાય એટલે પૃથ્વીને જીવો, અપકાય એટલે પાણીના જીવો, તેઉકાય એટલે અગ્નિના જીવો, વાયુકાય એટલે હવાના છે અને વનસ્પતિકાય એટલે વનસ્પતિના જીવો. (વનસ્પતિકાયના બે ભેદ છે.) આખા ઝાડમાં એક જીવ હોય અથવા એક પાનમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય અને એક પાન વગેરેમાં અનંત જીવો સાથે હોય તે સાધારણ વનસ્પતિકાય છે. ૩૧૫ પ્ર. કેટલા પ્રકારના અચિત્ત વાયુકાય કહેલ છે ? ઉ. (૧) જોરજોરથી ધમધમ ચાલવાથી (૨) લુહારની ધમણથી (૩) ઉચ્છવાસ આદિથી (૪) પડાં ઝાપટવાથી કે (૫) કોઈ વસ્તુને પીલવા, દબાવવાથી તથા પંખાથી. આ પાંચ પ્રકારના અચિત્ત વાયુથી સચિત્ત વાયુકાયની હિંસા થાય છે. ૩૧૬ પ્ર. વાયુકાય કાઈ બીજા પદાર્થના સ્પર્શ થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મારે છે ? ઉ. સ્પર્શ થયા વિના મરતા નથી. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવોની સાથે જ્યારે વિજાતીય જીના તથા વિજાતીય સ્પર્શવાળા પદાર્થોને સંઘર્ષ થાય છે, ત્યારે એના શરીરને વિનાશ થાય છે. ૩૧૭ પ્ર. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સર્વથી સૂક્ષ્મ કાણુ છે. ઉ. વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ છે. ચાર કાયમાં વાયુકાય સૂક્ષ્મ છે. ત્રણ કાર્યમાં તેજસકાય સૂક્ષ્મ છે. બે કાયમાં અપકાય સૂક્ષ્મ છે. ૩૧૮ પ્ર. ભગવાને ચૌદ રાજલકમાં કાજળના કુંપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જીવ બાળ્યા બળે નહિ, છેદયા છેદાય નહીં, માર્યા મરે નહીં એવા કહ્યા છે. તે જીવને દારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિ આદિથી-વ્યાઘાત થતા નહીં હોય? જે ઔદારિક શરીર હોય તો તે શરીર, અગ્નિ આદિથી વ્યાધાત કેમ ન પામે ? સ્થાનકવાસી સાધુવર, બહુ વ્યવહાર પ્રવીણ નિશ્ચયપથ જ્ઞાતા નહીં, બાહિર તપમાં લીન “વ્યવહારે બહુ રાચતા, ક્રિયાકાંડમાં લીન; આતમ લક્ષ લહ્યા વિના, કહે સાધુ સંગ હીન.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy