SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તે ભવપરાવર્તન છે. શુભ-અશુભ ભાવ, દયા-દાન, વ્રત પરિણામ તે શુભ, જુઠ, ચેરી, હિંસા તે અશુભ વગેરે અને મિથ્યાદષ્ટિને જેટલે શુભાશુભ પરિણામ (ભાવ) છે તે અનંતવાર કરી અને આ મારું એમ માનીને રખડવું તે ભાવપરાવર્તન છે. આમ સાધારણ રીતે કહેવાય છે પણ એવા કેટલાએ જીવ છે કે જેઓને બધા પુદ્ગલેને સંયોગ પ્રાપ્ત થયેલ નથી, બધા ક્ષેત્રમાં જન્મ લીધે નથી, જેને કાળપરાવર્તન કર્યું નથી, બધા ભવ પ્રાપ્ત થયા નથી અને બધા શુભાશુભ ભાવો પણ કર્યા નથી. વ્યવહાર રાશિમાં આવેલા કેટલાએ છાએ આ પાંચ પરાવર્તનમાં ભ્રમણ કર્યું હોવાથી સામાન્ય અપેક્ષાએ ઉપદેશમાં સમસ્ત જીએ ભ્રમણ કર્યું છે એમ કહેવાય છે. ' ૨૬. પ્ર. “વ્યવહારરાશિ” જીવ અને “અવ્યવહારરાશિ” જીવ કેને કહે છે? ઉ. સૂક્ષ્મ નિગદમાંથી નીકળી એક વખત ત્રયપણું પામ્યા છે તે “વ્યવહારરાશિ”. પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તે પણ તે “વ્યવહારરાશિ”. અનાદિકાળથી સૂક્ષ્મ નિગેદમાંથી ત્રસપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ”. વ્યવહાર રાશિમાંથી જેટલા જીવો સિદ્ધગતિમાં જાય છે, તેટલા છો, અનાદિ નિગોદ નામની વનસ્પતિની રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી જાય છે. (જુઓ પ્રશ્ન ૩ર૦) ૨૬૧ પ્ર. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી કેટલા ભવે મોક્ષ થાય છે ? * ઉ. અનુત્તર વિમાનને પહેલાં ચાર વિમાનમાં જે દે રહે છે તે ચિરમ છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મોક્ષ પામે છે. પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે; તે એ વિમાનથી યુત થયા પછી મનુષ્યત્ય ધારણ કરી એ જન્મમાં જ મેક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તર વિમાનવાસી સિવાય બીજા કોઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કઈક તે એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કેઈ બે વાર, કેઈ ત્રણ વાર, કઈ ચાર વાર અને કાઈ એથી અધિક વાર જન્મ ધારણ કરે છે. ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy