SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પેલા બીજાના છેકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા તે લાવ. સામાએ કહ્યું કે હું ચેપડામાં ઈશ. ચોપડામાં જોયું તે રૂ. ૧૦૦ નીકળતા હતા. તેણે વિચાર કર્યો કે જે રૂ. ૧૦૦ કબૂલવા જઈશ તે વધારે ચોંટશે એટલે બે મીંડાં જ ઉડાવીને કહ્યું કે મારા બાપે લીધા જ નથી. આણે બે મીંડા કાઢી નાખ્યાં અને પેલાએ બે મીંડાં ચઢાવ્યાં હતાં. એમ મૂતિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તો ય તાંબરેએ ચડાવી દીધી ત્યારે સ્થાનકવાસીઓએ મૂર્તિ જ ઉડાવી દીધી. કેાઈ સુશોભિત અલંકારાદિ અને ચક્ષ સહિત પ્રતિમા પૂજે છે. વળી, બીજા (દિગબર) ચક્ષુવાળી પ્રતિમા પૂજવી દ્રવ્યમિથ્યાત્વ કહે છે. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાને અનેક માર્ગ છે. તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે. ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે ? ભગવાનને ગમે તે નિમિતે યાદ કરે તે કલ્યાણ છે. (જુએ પ્રશ્ન ૯૭૭) ૫૧ અ. શ્રીમદ રાજચંદ્રની શ્રદ્ધા કયા ગચ્છમાં હતી ? ઉ. તેઓ કહેતા હતા કે “હું કઈ ગ૭માં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશે નહિ. પ્રથમ પ્રતિમા નહિ માનતે અને હવે માનું છું, તેમાં કોઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. કૃતકથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણુથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે.” આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ એ ત્યાગી, ત્યાગવું બધું, કેવળ શાક સ્વરૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy