SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ભાવમાં શુદ્ધ સ્વરૂપ પરિણતીને કર્તા છે. અને પ્રકૃતિ કર્મને અકર્તા છે. શ્વેતાંબર મતથી સંસારી જીવ કમેના આવરણથી અશુદ્ધ છે અને તે અશુદ્ધ ભાવથી વર્તતા હોવાથી કર્મને કર્તા છે. બંને મતો સાચા છે. દિગંબર મત જીવનું શુદ્ધ સ્વરૂપ ઉપદેશે છે અને જીવના અંતિમ ધ્યેય તરફ નિર્દેશ કરે છે અને તે જ સાધ્ય છે. શ્વેતાંબર મત જીવની હાલની અશુદ્ધ દશા તરફ દષ્ટિગોચર કરાવી તે અશુદ્ધ, દશામાંથી છૂટી શુદ્ધ દશા તરફ જવા જીવને પુરુષાર્થ કરવા સજ્જ કરે છે. બંને મતની મેળવણી કરી જીવ સમજે તા. સમસ્ત જૈન દર્શન સમજાય. “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ.” ૧૪૭૪ પ્ર. કેટલાક લેકે એમ કહે છે કે વિકાર કર્મના કારણે થાય છે. જેમ સિદ્ધ જીવોને કર્મ નથી તે તેમને વિકાર થતો નથી, તેથી એમ નક્કી થાય છે કે કર્મ ન હોય તે વિકાર થતો નથી અને કર્મ હેય તો વિકાર થાય છે. શું તે બરાબર છે ? ઉ. વિકાર કર્મના કારણે નહીં પણ સ્વયં પોતાની ભૂલથી થાય છે. જે કર્મના ઉદયથી જ રાગદ્વેષ થતો હોય તે સદેવ સંસાર જ રહે, કદી પણ કોઈને મેક્ષ થાય જ નહીં, કારણ કે સંસારી - જીવોને કર્મને ઉદય તે સદા કાળ થતા જ હોય છે. જ્યારે જીવ સ્વયં વિકારી પરિણામ કરે છે તે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે, આમ વસ્તુનું સ્વરૂપ છે. ૧૪૭૫ પ્ર. જે વિકારને કર્મ જન્ય એટલે કર્મને કારણે થયો નહીં માને તો તે વિકાર જીવને સ્વભાવ થયે ગણાય, તે શું યોગ્ય છે? ઉ. સમયસારની ૩૭૨મી ગાથામાં રાગને જીવને સ્વભાવ (પર્યાય ભાવ) કહ્યો છે. જીવને જે રાગદ્વેષ, મોહનાં પરિણામ થાય છે તે પોતાની સ્વયં ભૂલ અથવા અજ્ઞાનભાવથી પિતાને કારણે થાય છે. મિથ્યાત્વ, પુણ્ય વિભવ તેથી મદ, મદથી મતિ ભ્રમ જાણ મતિભ્રમથી વળી પાપ તે, પુણ્ય હ ન નિદાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy