SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૦ પણ ધ્યાન બીજે રાખે, બળપૂર્વક ઘસે નહીં તે ક્યારે પણ કપડાંને મેલ દૂર થાય નહિ. એવી રીતે કોઈ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હોવા છતાં વ્યવહાર ચારિત્રને સાબુ લઈને આત્મા શુદ્ધ કરવા ઈચ્છે, જપ, તપ કરે, સંયમ પાળે પરંતુ ઉપગ એકાગ્ર ન કરે, આત્મામાં ધ્યાન ન લગાડે, આત્માનુભવ ન કરે તે કદાપિ આત્મા શુદ્ધ થશે નહિ. ૧૬૪૧ અ. નિશ્ચયનયના કેટલા ભેદ છે ? ઉ. નિશ્ચયનયના બે ભેદ કહ્યા છે. એક શુદ્ધ નિશ્ચયન, બીજે અશુદ્ધ નિશ્ચયનય. ૧૬૪૨ પ્ર. શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનયને ભેદ સમજાવો. ઉ. જેને લક્ષ કેવળ શુદ્ધ ગુણ, પર્યાય અને દ્રવ્ય ઉપર છે તે શુદ્ધ નિશ્ચયનય છે અને જેને લક્ષ તે એક દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય, ગુણ પર્યાય પર હોય તે અશુદ્ધ નિશ્ચયનય છે. જેમ જીવ સિદ્ધસમ શુદ્ધ છે. એ વાકય શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. આ જીવ રાગી દ્વેષી છે એ વાક્ય અશુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. રાગદ્વેષ અશુદ્ધ ભાને આત્માના ભાવ કહેવા તે અશુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ છે પણ શુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ નથી કારણ કે રાગદ્વેષ આત્માના ભાવ નથી પણ મેહનીય કમના ઉદયન સંગથી તે ભાવ જીવમાં થાય છે. ૧૬૪૩ પ્ર. વ્યવહારનયના કેટલા ભેદ છે ? ઉ. વ્યવહારનયના અનેક ભેદ છે. જેવા કે, અનુપચરિત અને ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય, સદ્ભુત વ્યવહારનય વગેરે. ૧૬૪૪ પ્ર. અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય એટલે શું ? ઉ. એ નય, પરવસ્તુને કોઈને સંગ થતાં પરને તેની કહેવી તે છે. જેમ આ ઘીને ઘડે છે. એમાં ઘીને સંગ છે માટે ઘડાને ઘીને કહે છે. આ જીવ પાપી છે, પુણ્યાત્મા છે, આ ગેર છે, આ કાળે મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy