SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વેગથી. પૂર્વ પ્રયોગનાં ચાર દષ્ટાંતે શાસ્ત્રમાં અપાયાં છે. ૧.કુંભાર, ચક્ર ૨. બંધ છેદ ૩. સ્વાભાવિક ગતિ પરિણામ અને ૪. અસંગતા. | કુંભારને ચાકડે જેમ એક વખત જોરથી ફેરવ્યા પછી પૂર્વે મળેલા વેગને પરિણામે ફર્યા કરે છે. ૨. કેશમાં રહેલું એરંડબીજ સુકાય ત્યારે કેશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી ઊંચે જાય છે. ૩. અગ્નિની જવાળા જેમ સ્વાભાવિક રીતે ઊંચે જાય છે. ૪. માટીથી લેપાયેલી તુંબડી પાણીમાં ડૂબી જાય છે પણ પલળ્યા પછી માટી પલળીને નીકળી જાય છે, ત્યારે તુંબડી ઉપર આવીને તરવા લાગે છે, તેમ આત્માની ઉર્ધ્વગતિ થાય છે. તેમજ આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થયા પછી તેને નીચે આવવાને સ્વભાવ જ નથી, તેથી નીચે નહીં આવતાં સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર રહે છે. ૨૯૧ પ્ર, જીવને નીકળવાના કેટલા દ્વાર છે? ઉ. સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં પાંચ દ્વાર કહ્યાં છે. ૧. પગથી ૨. અંધાથી ૩. હૃદયથી ૪. મસ્તકથી પ. સર્વ અંગેથી. પગથી જીવ નીકળે તે નરકગામી હોય છે. જઘાથી (સાથળમાંથી) નીકળે તે તિયચ. હૃદયથી નીકળે તે મનુષ્ય, મસ્તકથી નીકળે તો દેવ અને સર્વ અંગોથી નીકળે તે સિદ્ધગામી હોય છે. ૨૯ર પ્ર. ચ્યવન અને ઉદ્વર્તન એટલે શું ? ઉ. નારકીમાંથી તથા ભવનપતિ, વાણવ્યંતર દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ઉવટન (ઉવર્તન) કહે છે. તિષી અને વૈમાનિક દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ચ્યવન કહે છે. જે કઈ વ્યવહારનય અને નિશ્ચયનય બંનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે, તે જ શિષ્ય જિન વાણીના ઉપદેશનું ફળ પામે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy